SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૩ અને ઉપધિના વિષયમાં બાહ્ય પરિકર્મ છે; અને આ પ્રકારનું બાહ્ય પરિકર્મ કરતી વખતે તે ઋષિ આહારાદિની પ્રાપ્તિમાં લેશ પણ હર્ષનો પરિણામ ન થાય અને આહારાદિની અપ્રાપ્તિમાં લેશ પણ ખેદનો પરિણામ ન થાય તે રીતે જે અંતરંગ યત્ન કરે છે તે આહાર અને ઉપધિના વિષયમાં આંતર પરિકર્મ છે. વળી આ આંતર પરિકર્મ કરવાથી પોતે ભાવન કરેલી પાંચ ભાવનાઓમાં અતિશયતા આવે છે; કેમ કે જિનકલ્પ સ્વીકારતા પૂર્વે તે ઋષિ આહારાદિના વિષયમાં અભિગ્રહ ગ્રહણ કરીને ચિત્તને અત્યંત અસંગભાવવાળું કરવા યત્ન કરે છે અને આહારાદિની અપ્રાપ્તિમાં લેશ પણ અન્યથા મન ન થાય તે રીતે અંતરંગ ઉપયોગવાળા વર્તે છે. આ પ્રકારના પ્રયત્નથી પૂર્વે પોતે ભાવન કરેલી તપોભાવના આદિ સુદઢ થાય છે. આથી જ ગાથા ૧૪૧૧માં ગ્રંથકારશ્રીએ આ બે પ્રકારના પરિકર્મને સર્વ ભાવનાઓ વિષયક સામાન્યથી વિધિરૂપે કહેલ છે. * ટીકામાં જે સામાન્યથી આહારની સાત પ્રકારની એષણાનાં નામ બતાવ્યાં, તેનું સ્વરૂપ નીચે મુજબ જાણવું. (૧) ગૃહસ્થના ખરડાયેલા પાત્રથી કે હાથથી ભિક્ષા લેવી, તે સંસૃષ્ટા એષણા છે. (૨) ગૃહસ્થના નહીં ખરડાયેલા પાત્રથી કે હાથથી ભિક્ષા લેવી, તે અસંસૃષ્ટા એષણા છે. (૩) ગૃહસ્થ પોતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલ હોય તેવી ભિક્ષા લેવી, તે ઉદ્ઘતા એષણા છે. (૪) લેપ વગરની ભિક્ષા લેવી, તે અલ્પપા એષણા છે. (૫) ભોજન કરનારની થાળી આદિમાં પીરસેલું ભોજન થાળી આદિમાંથી જ લેવું, તે અવગૃહીતા એષણા છે. (૬) ભોજન કરનારને પીરસવા માટે કોઈએ ચમચા વગેરેમાં જે ભોજન લીધું હોય તે વહોરવું, અથવા ભોજન કરનારે ભોજનને હાથમાં લીધું હોય તે વહોરવું, તે પ્રગૃહીતા એષણા છે. (૭) જે આહાર સારો ન હોવાથી ત્યજવા લાયક હોય, અથવા કોઈ મનુષ્ય ઈચ્છે નહીં તેવો તુચ્છ હોય, અથવા તો ખાધા પછી વધેલો હોવાથી ત્યજી દીધેલો હોય તેવો આહાર લેવો, તે ઉજિઝતધર્મા એષણા છે. * ટીકામાં જે સામાન્યથી વસ્ત્રની ચાર પ્રકારની એષણાનાં નામ બતાવ્યાં, તેનું સ્વરૂપ નીચે મુજબ જાણવું. (૧) ઉદિષ્ટા એટલે ઉદેશેલું. “હું અમુક પ્રકારનું વસ્ત્ર લઈશ” એમ ગુરુને જેવું વસ્ત્ર લેવાનું પોતે કહ્યું હોય તેવું જ વસ્ત્ર ગૃહસ્થો પાસેથી લેવું, તે ઉદ્દિષ્ટા એષણા છે. (૨) પ્રેક્ષિતા એટલે જોયેલું. ગૃહસ્થના ઘરે પોતાને યોગ્ય વસ્ત્ર જોઈને માંગવું, તે પ્રેક્ષિતા એષણા છે. (૩) અંતરા એટલે વચ્ચે. કોઈ ગૃહસ્થ જૂનાં વસ્ત્રો મૂકી દેવાની તૈયારી કરતા હોય, પરંતુ હજી મૂક્યું ન હોય, ત્યાં મૂકવાની તૈયારી અને મૂકવું એ બંનેની વચમાં જ તે જૂનાં વસ્ત્રો માંગવાં, તે અંતરા એષણા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy