SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સંખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૪૧૩ ટીકાઈ: તૃતીયા ... મહાપં, વળી ત્રીજી પોરિસીમાં પાંચમાંથી અન્યતર એવી એષણા વડે=આહારની એષણાના સાત પ્રકારમાંની જિનકલ્પી સાધુને યોગ્ય પાંચ એષણામાંથી કોઈપણ એક એષણા વડે, વાલ આદિ અલેપકૃત આહારને ભજે છે=સેવે છે. તો ... નાખ્યાં અને વળી બેમાંથી અન્યતર એવી એષણા વડે=વસ્ત્રની એષણાના ચાર પ્રકારમાંની જિનકલ્પી સાધુને યોગ્ય બે એષણામાંથી કોઈપણ એક એષણા વડે, યથાકૃત જ ઉપધિને ભજે છે=સેવે છે, અન્ય ઉપધિને નહીં યથાકૃત ઉપધિથી અન્ય ઉપધિને સેવતા નથી. તત્રો .... સપ્ત, ત્યાં એષણામાં, ઓઘથી જ=સર્વ સાધુઓ માટે સામાન્યથી જ, આહારની એષણા સાત છે : જે યથોથી બતાવે છે – સંશા .... મિયા IP સંસૃષ્ટા, અસંસૃષ્ટા, ઉદ્ધતા, અલ્પલપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને સાતમી ઉક્ઝિતધર્મા. તસ્થ » પાસ ત્યાં પાંચ વડે ગ્રહ છે=આ સાત પ્રકારની આહારની એષણામાં જિનકલ્પીને પાંચ એષણા વડે આહારનું ગ્રહણ કરવાનું હોય છે. એક વડે અશનનો, એક વડે જ પાનનો અભિગ્રહ થાય છે=જિનકલ્પીને યોગ્ય આહારની પાંચ એષણામાંથી જિનકલ્પી સાધુ કોઈપણ એક એષણા વડે અશન ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે છે અને કોઈપણ એક એષણા વડે પાણી ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે છે. વસ્ત્ર ..... શ્રતો વળી વસ્ત્રની એષણા ચાર છે જે યથોમથી બતાવે છે – દિ.. રોહિં 1 ઉદિષ્ટા, પ્રેક્ષા, અંતરા, ઉક્કિતધર્માઃ ચાર પ્રકારની યતિઓની વઐષણા જિત રાગ-દ્વેષવાળા જિનો વડે કહેવાઈ છે. અત્યં પિ રોણુ જિદ્દઉં . અહીં પણ બે વડે ગ્રહણ કરે છે=આ ચાર પ્રકારની વસ્ત્રની એષણામાં પણ જિનકલ્પી બે એષણા વડે વસ્ત્રનું ગ્રહણ કરે છે. ત્તિ નાથામાવાઈ: આ પ્રકારે ગાથાનો ભાવાર્થ છે. ભાવાર્થ : આ ઋષિ ત્રીજી પોરિસીમાં ગોચરીના સર્વ દોષોથી રહિત અને લેપ વગરના વાલ-ચણા આદિ આહારને સેવે છે. તેથી ફલિત થાય કે જેનાથી પાત્ર ખરડાય તેવા સ્નિગ્ધતા આદિવાળા લેપકૃત આહારને ગ્રહણ કરતા નથી, પરંતુ જેનાથી પાત્ર ખરડાય નહીં તેવા લૂખા અપકૃત આહારને ગ્રહણ કરે છે. જિનકલ્પી સાધુ ભિક્ષાટન કરતી વખતે આવો આહાર પણ ગ્રહણ કરતાં પહેલાં, સાધુની સાત પ્રકારની આહારની એષણામાંથી પણ જિનકલ્પી સાધુને યોગ્ય જે પાંચ એષણા છે, તેમાંથી કોઈપણ એક એષણા વડે અશન ગ્રહણ કરવાનો અને કોઈપણ એક એષણા વડે પાનક ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે છે; તે રીતે ઉપધિ ગ્રહણ કરતાં પહેલાં, પણ સાધુની ચાર પ્રકારની વસ્ત્રની એષણામાંથી જિનકલ્પી સાધુને યોગ્ય જે બે એષણા છે, તેમાંથી કોઈપણ એક એષણા વડે વસ્ત્ર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે છે. આ રીતે પોતે ગ્રહણ કરેલા એષણાવિષયક અભિગ્રહ પ્રમાણે નિર્દોષ આહાર અને ઉપધિ પ્રાપ્ત થાય તો જ જિનકલ્પી સદશ આચરણા કરનારા તે ઋષિ ગ્રહણ કરે છે, અન્યથા ગ્રહણ કરતા નથી. આ આહાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy