SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘બલભાવના' દ્વાર | ગાથા ૧૪૦૯-૧૪૧૦ નહીં. તેથી આ મહાત્માએ અત્યંત ધૃતિપૂર્વક પોતાનામાં વર્તી રહેલો શુભભાવ સ્થિર-સ્થિરતર થાય તે પ્રકારનો યત્ન કરવારૂપ ધૃતિ કરવી જોઈએ, જેથી જિનકલ્પ સ્વીકાર્યા પછી સદા ધ્યાન અને સમતાનો પ્રવાહ ચલાવી શકે તે પ્રકારના ચારિત્રની પ્રાપ્તિરૂપ ઈષ્ટની સિદ્ધિ તેઓને થઈ શકે. I/૧૪૦૯ાા ગાથા : धिइबलणिबद्धकच्छो कम्मजयट्ठाए उज्जओ मइमं । - सव्वत्था अविसाई उवसग्गसहो दढं होई ॥१४१०॥ दारं ॥ અન્વયાર્થ : ધિરૂવત્નાવદ્ધચ્છો ધૃતિબળથી નિબદ્ધ કક્ષવાળા, મનયા ૩નો કર્મના જય અર્થે ઉદ્યત, મમં=મતિમાન, સલ્વત્થા વિસારૂં સર્વત્ર અવિષાદી એવા ઋષિ દં ૩વસ પસદો દઢ ઉપસર્ગસહ રોડ઼= થાય છે. ગાથાર્થ : ધૃતિબળથી નિબદ્ધ કક્ષવાળા, કર્મના જય અર્થે ઉધત, મતિમાન, સર્વત્ર અવિષાદી એવા બદષિ દેટ ઉપસર્ગસહ થાય છે. ટીકા : धृतिबलनिबद्धकक्षः सन् कर्मजयार्थमुद्यतो मतिमानेष सर्वत्राविषादी भावेनोपसर्गसहो दृढम् अत्यर्थं ભવતિતિ થાર્થઃ ૨૪૨૦ (દરમ્) | ટીકાર્ય ધૃતિબળથી નિબદ્ધ કક્ષવાળા છતા, કર્મના જય અર્થે ઉદ્યત, મતિમાન, ભાવથી સર્વત્ર અવિષાદી એવા આ અભ્યદ્યત વિહાર માટે તત્પર એવા ગણિ આદિ ઋષિ, દઢ અત્યર્થ અત્યંત, ઉપસર્ગસહsઉપસર્ગને સહન કરનારા, થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં અંતે કહ્યું કે અદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા ઋષિએ શુભભાવના થૈર્યરૂપ ધૃતિ કરવી જોઈએ. તેથી હવે તે મહાત્મા ધૃતિમાં યત્ન કરે તો કેવા પ્રકારના થાય છે ? તે બતાવતાં કહે છે કે શુભભાવમાં સ્થિરતારૂપ ધૃતિબળમાં નિબદ્ધ કક્ષવાળા અર્થાત્ દત્ત ચિત્તવાળા, કર્મનો જય કરવા માટે ઉદ્યત અર્થાત્ મોહના પરિણામનો નાશ કરવા માટે ઉદ્યમશીલ, મતિવાળા, ભાવથી સર્વત્ર વિષાદ વગરના એવા ઋષિ દઢ ઉપસર્ગસહ થાય છે અર્થાત્ ઉપસર્ગો પ્રાપ્ત થાય તોપણ સહન કરી શકે તેવા અત્યંત સામર્થ્યવાળા બને છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓની મતિ શાસ્ત્રોના પરમાર્થથી પરિકર્મિત થઈ હોવાથી આત્માનું પારમાર્થિક હિત અસંગભાવ છે એ પ્રકારના શાસ્ત્રના મર્મને જાણનારા છે, આથી જ શારીરિકાદિ કોઈ આપત્તિ આવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy