SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ટીકા प्रायः कायोत्सर्गेण तस्य यतेः स्थितिः, भावनाबलाच्चैष- कायोत्सर्गः संहननेऽपि सति जायते इदानीं भारादिबलतुल्यः, शक्तौ सत्यामप्यभ्यासतो भारवहनिदर्शनादिति गाथार्थः ॥ १४०८ ॥ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર | ‘બલભાવના' દ્વાર ગાથા ૧૪૦૮-૧૪૦૯ ટીકા : પ્રાયઃ તે યતિની કાયોત્સર્ગ વડે સ્થિતિ હોય છે. અને સંહનન હોતે છતે પણ હમણાં=કાયોત્સર્ગમાં બળનો અભ્યાસ કર્યા પછી, ભાવનાના બળથી આ=કાયોત્સર્ગ, ભારાદિના બળની તુલ્ય થાય છે; કેમ કે શક્તિ હોતે છતે પણ અભ્યાસથી પ્રગટ થાય છે, એમાં ભારવહનું નિદર્શન છે=ભારને વહન કરનારા બળદ, ભારવાહક પુરુષ વગેરેનું દૃષ્ટાંત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - પૂર્વગાથામાં કહ્યું કે એકત્વભાવનાથી યુક્ત મહાત્મા બળભાવનાથી કાયોત્સર્ગસ્વરૂપ શારીરિક બળ અને ધૃતિસ્વરૂપ માનસિક બળ વધારે છે. તેથી હવે પ્રથમ શારીરિક બળ કઈ રીતે વધારે છે ? તે બતાવે છે - બળભાવના કરનારા ઋષિ રાત-દિવસ પ્રાયઃ કાયોત્સર્ગમાં રહેલા હોય છે. અહીં ‘પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે આહાર-નિહાર-વિહારના પ્રયોજનને છોડીને સતત કાયોત્સર્ગમાં જ રહેલા હોય છે. અહીં પ્રશ્ન થાય કે શું તેઓ કાયોત્સર્ગમાં દીર્ઘકાળ સુધી સંઘયણના બળથી સ્થિર રહી શકે છે ? તેથી કહે છે સંઘયણ હોતે છતે પણ બળભાવનાથી તે યતિની કાયોત્સર્ગની શક્તિ હમણાં ભારાદિના બળસદેશ થાય છે, અર્થાત્ જેમ કોઈ પુરુષ ભાર ઉપાડવાની શક્તિવાળો હોય તોપણ વારંવાર ભાર ઉપાડવાથી તેનામાં સહજ રીતે ભાર વહન કરવાની શક્તિ વૃદ્ધિ પામે છે, તેમ આ મહાત્મા સંઘયણવાળા હોવા છતાં પણ સતત કાયોત્સર્ગમાં રહેવાની શક્તિ પૂર્વે જે પ્રગટરૂપે ન હતી તે બળભાવના કરવાથી હમણાં પ્રગટ થાય છે, તેથી તે મહાત્મા અભ્યુદ્ઘત વિહાર સ્વીકાર્યા પછી પ્રાયઃ સહજભાવે કાયોત્સર્ગમુદ્રામાં દીર્ઘકાળ સુધી રહી શકે છે. ૧૪૦૮૫ ગાથા: Jain Education International सइ सुहभावेण तहा जं (? तस्सुह) तासुहभावथिज्जरूवा उ । एतो च्चि कायव्वा धिई णिहाणाइलाभे व्व ॥ १४०९ ॥ અન્વયાર્થઃ તહા—તથા સરૂ મુદ્દમાવેળ=સદા શુભભાવથી (તે યતિની સ્થિતિ હોય છે.) નં=જે કારણથી (આમ છે,) ત્તો વિગ્ન=આથી જ ખિજ્ઞાળાામે ત્વ=નિધાનાદિના લાભમાં જેમ (હોય છે, તેમ સાધુએ) તમુદ્દમાવધિજ્ઞવા તે શુભભાવના થૈર્યરૂપ ધિÍ=કૃતિ જાયન્ત્રા=કરવી જોઈએ. * ગાથાના બીજા પાદના અંતે રહેલો ‘૩' પાદપૂર્તિમાં છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy