SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ સંલેખનાવસ્તુક/ અભ્યરત વિહાર | “સત્વભાવના' દ્વાર / ગાથા ૧૩૯૪-૧૩૫ ટીકા? __ तपोभावनया हेतुभूतया पञ्चेन्द्रियाणि दान्तानि सन्ति यस्य वशमागच्छन्ति प्राणिनः, स इन्द्रिययोग्याचार्यः इन्द्रियप्रगुणनक्रियागुरुः समाधिकरणानि-समाधिव्यापारान् कारयतीन्द्रियाणीति ગાથા: ૩૧૪ (તારમ્) | ટીકાઈઃ હેતુભૂત એવી તપોભાવનાથી=પાંચ ઇન્દ્રિયોના દમનના હેતુભૂત એવી તપની ભાવનાથી, દાત્ત દમન પામેલી, છતી પાંચ ઈન્દ્રિયો જે પ્રાણીના વશને પામે છે, તે ઇન્દ્રિયયોગી આચાર્ય=ઈન્દ્રિયની પ્રગુણનની ક્રિયાના ગુરુ, ઈન્દ્રિયોને સમાધિના કરણી=સમાધિના વ્યાપારો, કરાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : તપોભાવના ઇન્દ્રિયોના દમનનો હેતુ છે. તેથી ઇન્દ્રિયોના દમનના હેતુભૂત એવી તપોભાવનામાં જે મહાત્મા શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરે છે, તેઓને તે તપોભાવના અણાહારી ભાવનાથી ભાવિત બનાવે છે, અને અણાહારી ભાવનાથી ભાવિત થયેલા યોગીની પાંચેય ઇન્દ્રિયો અત્યંત દમન પામેલી વર્તે છે, અને દમન પામેલી પાંચેય ઇન્દ્રિયો તે યોગીને વશ થાય છે; વળી પોતાને વશ થયેલી પાંચેય ઇન્દ્રિયોને તે મહાત્મા સમાધિને અનુકૂળ વ્યાપારમાં પ્રવર્તાવે છે અર્થાતુ પાંચેય ઈન્દ્રિયો વિષયો સાથે સંબંધ પામીને આત્મામાં સંગવૃત્તિને ઉલ્લસિત ન કરે, પરંતુ આત્માને પોતાના શુદ્ધ ભાવોમાં વિશ્રાંતિ પમાડે તે પ્રકારના વ્યાપારમાં પાંચેય ઇન્દ્રિયોને પ્રવર્તાવે છે. અહીં તે મહાત્માને “ઇન્દ્રિયોના યોગી આચાર્ય” કહ્યા અને તેનો અર્થ “ઇન્દ્રિયોના પ્રગુણનની ક્રિયામાં ગુરુ” એવો કર્યો, તેનાથી એ પ્રાપ્ત થાય કે, તપોભાવનાથી આ મહાત્માએ પાંચેય ઇન્દ્રિયોને પોતાને વશ કરી છે, તેથી તે મહાત્મા ઇન્દ્રિયો પાસે આત્માના ગુણોની અતિશયતા કરાવવા રૂપ પ્રગુણનની ક્રિયા કરાવવા દ્વારા પોતાને વશ થયેલી ઇન્દ્રિયોના ગુરુ જેવા છે, જેના કારણે જે ઇન્દ્રિયો સંસારી જીવો માટે કર્મબંધનું કારણ બને છે, તે જ ઇન્દ્રિયો આવા ઇન્દ્રિયયોગી આચાર્ય માટે કર્મમુક્તિનું કારણ બને છે. ૧૩૯૪ો. અવતરણિકા: द्वारान्तरसम्बन्धाभिधित्सयाऽऽह - અવતરણિકાર્ય : દ્વારોતરના સંબંધને કહેવાની ઇચ્છાથી કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૯૧થી ૧૩૯૪માં ‘તપોભાવના' દ્વારનું સ્વરૂપ બતાવ્યું. હવે ગાથાના પૂર્વાર્ધથી “તપોભાવના' દ્વાર સાથે “સત્ત્વભાવના' દ્વારનો સંબંધ બતાવીને ગાથા ૧૩૯૮ સુધી “સત્ત્વભાવના' દ્વારનું સ્વરૂપ બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy