SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર / “તપોભાવના' દ્વાર / ગાથા ૧૩૯૩-૧૩૯૪ રસિકોમાં=સંપ્રાપ્ત થયેલા અશન વગેરે રસવાળા ભોજનાદિમાં, સંગ પામતી નથી; કેમ કે અપરિભોગને કારણે અનાદર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું એ મુજબ અભ્યઘત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા આત્માને તપોભાવનાથી તે રીતે ભાવિત કરે છે જેથી વિહિત અનુષ્ઠાનની હાનિ ન થાય, અર્થાત્ ભગવાને સાધુને અસંગભાવની વૃદ્ધિ થાય તે રીતે દરેક અનુષ્ઠાનનું વિધાન કરેલ છે, તેથી આ મહાત્મા પણ અસંગભાવને અનુકૂળ સુદઢ વ્યાપાર કરવામાં લેશ પણ બાધક ન બને તે પ્રકારે તપને આત્મસાત્ કરે છે. વળી તપ કરવાથી અલ્પ આહાર કરનારા આ મહાત્માની સ્પર્શનાદિ ઇન્દ્રિયો સ્પર્શાદિ વિષયોમાં પ્રવર્તતી નથી; કેમ કે તે મહાત્માના શરીરની ધાતુઓ તપના કારણે શાંત બનેલી હોવાથી ઉદ્રક પામતી નથી. આશય એ છે કે અધિક આહાર કરવાથી શરીરમાં રહેલી ધાતુઓ પુષ્ટ બને છે અને પુષ્ટ બનેલી ધાતુઓ ઇન્દ્રિયોનો વિષયો સાથે સંપર્ક થાય ત્યારે ઉદ્રક પામે છે. આથી મહાત્મા સંયમના સર્વ ઉચિત વ્યાપારનો વ્યાઘાત ન થાય તે રીતે તપ કરે છે અને જ્યારે આહાર કરે છે ત્યારે પણ આહારને અલ્પ ગ્રહણ કરે છે, જેથી તે મહાત્માની દેહની ધાતુઓ પુષ્ટ નહીં બનવાને કારણે વિષયો સાથે સંપર્ક પામવા છતાં ઇન્દ્રિયો વિષયોમાં પ્રવર્તતી નથી. વળી તપોભાવનાથી ભાવિત મહાત્માના તપથી ઇન્દ્રિયો ક્લાન્ત થતી નથી, જેના કારણે તે ઇન્દ્રિયો યોગમાર્ગમાં વિજ્ઞભૂત બનતી નથી. વળી તપોભાવનાથી ભાવિત મહાત્મામાં આત્માનો અણાહારી સ્વભાવ ઉલ્લસિત થયેલો હોવાથી તેઓને સુંદર આહારના પરિભોગનો પરિણામ થતો નથી, અને તેને કારણે સુંદર પણ આહારમાં અનાદર વર્તતો હોય છે અર્થાત્ “આ આહાર મને અનુકૂળ છે તે પ્રકારની આહારમાં આદરબુદ્ધિ થતી નથી, જેથી તે મહાત્માની ઇન્દ્રિયો સુંદર આહારમાં પણ સંગ પામતી નથી. ૧૩૯૩. ગાથા : तवभावणाए पंचिंदिआणि दंताणि जस्स वसमेंति । इंदिअजोग्गायरिओ समाहिकरणाइं कारेइ ॥१३९४॥ दारं ॥ અન્વયાર્થ: તવમાવUTIV>તપોભાવનાથી સંતપિત્રિ =દાંત એવી પાંચ ઇન્દ્રિયો ના=જેના વસતિ વશને પામે છે, (તે) મિનોમિકઇન્દ્રિયયોગી આચાર્ય (ઇન્દ્રિયો પાસે) સમરિVIઝું સમાધિકરણોને કરાવે છે. ગાથાર્થ : તપોભાવનાથી દમન પામેલી પાંચ ઇન્દ્રિયો જેના વશને પામે છે, તે ઇન્દ્રિયયોગી આચાર્ય ઇન્દ્રિયો પાસે સમાધિકરણોને કરાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy