SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “સત્વભાવના' દ્વાર / ગાથા ૧૩૫ ગાથા : इअ तवणिम्माओ खलु पच्छा सो सत्तभावणं कुणइ । निद्दाभयविजयट्ठा तत्थ उ पडिमा इमा पञ्च ॥१३९५॥ અન્વયાર્થ : રૂમ આ રીતે ગાથા ૧૩૯૧થી ૧૩૯૪માં બતાવ્યું એ રીતે, ત તપથી નિર્માત એવા આ તપોભાવનાથી સંપન્ન થયેલા મુનિ, પછી પાછળથી નિમવિયેટ્ટી નિદ્રા-ભયના વિજય અર્થે સમાવUાં સત્ત્વભાવનાને ફિ કરે છે. તલ્થ વળી ત્યાં સત્ત્વભાવનામાં, રૂમાં પડ્ઝ ડિમ=આ પાંચ પ્રતિમાઓ હોય છે. * “ઘ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ગાથા ૧૩૯૧થી ૧૩૯૪માં બતાવ્યું એ રીતે તપોભાવનાથી સંપન્ન થયેલા મુનિ પાછળથી નિદ્રા અને ભયના વિજય અર્થે સત્ત્વભાવનાને કરે છે. વળી સત્ત્વભાવનામાં આ પાંચ પ્રતિમાઓ હોય છે. ટીકાઃ - इअ-एवं तपोनिर्मातः खलु पश्चादसौ मुनिः सत्त्वभावनां करोति सत्त्वाभ्यासमित्यर्थः, निद्राभयविजयार्थमेतत् करोति, तत्र तु प्रतिमाः सत्त्वभावनायामेताः पञ्चेति गाथार्थः ॥१३९५॥ ટીકાઈ: આ રીતે=ગાથા ૧૩૯૧થી ૧૩૯૪માં બતાવ્યું એ રીતે, તપથી નિર્માત એવા આ મુનિ પાછળથી સત્ત્વભાવનાને=સત્ત્વના અભ્યાસને, કરે છે. આ=સત્ત્વનો અભ્યાસ, નિદ્રા અને ભયના વિજય અર્થે કરે છે. વળી ત્યાં=સત્ત્વભાવનામાં, આ=હવે કહેવાશે એ, પાંચ પ્રતિમાઓ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : તપોભાવના દ્વારમાં બતાવી એ વિધિથી સંપન્ન થઈ ગયેલા મહાત્મા પોતાનામાં મહાસત્ત્વ પ્રગટે અને નિદ્રા અને ભયનો જય થાય તદર્થે સત્ત્વભાવનાને કરે છે. આશય એ છે કે આ મહાત્માએ અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી અસંગભાવને અભિમુખ જવાનો ઉદ્યમ અત્યંત અપ્રમાદથી થઈ શકે તેવું આત્મામાં સર્વ પ્રગટાવવા માટે નિદ્રાનો વિજય કરવાનો છે અને ભય આપાદક વિષમ સંયોગોમાં પણ ચલાયમાન થયા વગર પોતાના ધ્યાનમાં સુદઢ યત્ન થઈ શકે તેવું આત્મામાં નિષ્પકંપ સત્ત્વ પ્રગટાવવા માટે ભયનો વિજય કરવાનો છે. આથી સત્ત્વનો અભ્યાસ કરી કરીને તે મહાત્મા નિદ્રાનો અને ભયનો જય કરે છે. વળી આ સત્ત્વભાવના કરતી વખતે મહાત્મા પાંચ પ્રતિમાઓ ધારણ કરે છે, જેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી આગળની ગાથામાં સ્વયં બતાવે છે. ll૧૩૯પી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy