SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ સંલેખનાવસ્તુક/ અભ્યધત વિહાર | “પરિકમ' દ્વાર/ ગાથા ૧૩૮૯-૧૩૯૦ ટીકાઈ: વળી જે કારણથી તે કષાયો પણ ઇન્દ્રિય અને યોગોના વિરહથી થતા નથી, તે કારણથી અહીં અભ્યદ્યત વિહારના પરિકર્મ દ્વારમાં, તેનું વિનિયમન પણ ઇન્દ્રિય અને યોગોનું નિયંત્રણ પણ, તદર્થે જ=કષાયોના વિનિયમન અર્થે જ, કરવા યોગ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં ઇન્દ્રિયો, યોગો અને કષાયોના વિનિયમનની ભાવનારૂપ પરિકર્મ બતાવ્યું. હવે તે પરિકર્મમાં પણ કષાયોના વિનિયમનની ભાવનારૂપ પરિકમને જ પ્રધાન બતાવતાં કહે છે – અભ્યઘત વિહારના પ્રક્રમમાં જે પ્રકારે ક્યાયો વડે અધિકાર છે, તે પ્રકારે ઇન્દ્રિય અને યોગો વડે અધિકાર નથી. આમ કહીને ગ્રંથકારશ્રીને એ દર્શાવવું છે કે અમ્મુદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા પોતાના રાગને શુદ્ધ આત્મતત્ત્વમાં દઢ યત્ન થાય તે રીતે પ્રવર્તાવે અને પોતાના દ્વેષને શુદ્ધ આત્મતત્ત્વ સિવાય અન્ય ક્યાંય યત્ન ન થાય તે રીતે પ્રવર્તાવે, જેથી અમ્મુદ્યત વિહાર સ્વીકાર્યા પછી શુદ્ધ આત્મતત્ત્વપ્રાપ્તિના બીજભૂત અસંગભાવના ફુરણને અનુકૂળ ધ્યાનમાં સુદઢ ઉદ્યમ વર્તી શકે; અને જીવનો ધ્યાનમાં સુદઢ ઉદ્યમ વર્તે તો જ અભ્યર્થાત વિહારની નિષ્ઠાની પ્રાપ્તિ થાય. આથી અભ્યત વિહાર સ્વીકારતાં પહેલાં મહાત્મા શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને અવલંબીને પોતાનો ઉપયોગ દીર્ઘકાળ સુધી અત્યંત શૈર્યપૂર્વક પ્રવર્તે તે રીતે પોતાના કષાયોને પરિકર્ષિત કરે. અહીં પ્રશ્ન થાય કે પૂર્વે ઇન્દ્રિયાદિ ત્રણેયના વિનિયમનની ભાવનાને પરિકમે કહ્યું અને હવે પ્રધાનરૂપે કષાયોના વિનિયમનની ભાવનાને પરિકર્મ કહ્યું. આ પ્રમાણે કહેવાનું પ્રયોજન શું છે? તે ગાથા ૧૩૯૦ના ઉત્તરાર્ધમાં બતાવે છે – ઇન્દ્રિયો અને યોગો દુઃખવૃદ્ધિના બીજભૂત છે; કેમ કે ઇન્દ્રિયો અને યોગોને પરવશ થઈને જીવ કર્મબંધ કરે છે અને તેનાથી સંસારમાં પરિભ્રમણ કરે છે; તોપણ કષાયો વગર ઇન્દ્રિયો અને યોગો દુઃખવૃદ્ધિના બીજભૂત બનતા નથી. આથી જ જે મહાત્માઓના કષાયો શુદ્ધ આત્મભાવમાં નિવેશ પામવા માટે પ્રવર્તે છે, તેવા નિયંત્રિત કષાયોવાળા યોગીઓની ઇન્દ્રિયો અને યોગો દુઃખવૃદ્ધિના બીજભૂત બનતા નથી; કેમ કે કષાયોના નિયંત્રણને કારણે તેઓની શાંત થયેલી ઇન્દ્રિયો વિષયોના સંપર્કમાં આવવા છતાં ફક્ત વિષયોનો બોધ કરાવે છે, પરંતુ વિષયો સાથે સંશ્લેષ પામતી નથી, તેમ જ તેઓના યોગો પણ અસ્થિર ભાવને પામતા નથી. માટે અભ્યત વિહાર સ્વીકારનારા ગણિ આદિએ પ્રધાનરૂપે કષાયોના જ વિનિયમન માટે અભ્યાસ કરવો જોઈએ. વળી આ કથનને દઢ કરવા કહે છે કે જે કારણથી કષાયો પણ ઇન્દ્રિયોની બાહ્ય પ્રવૃત્તિ અને યોગોના ચાંચલ્ય વગર થતા નથી, તેથી ગાથા ૧૩૮૭-૧૩૮૮માં જે ઇન્દ્રિયો અને યોગોના વિનિયમનનો અભ્યાસ કરવાનું કહ્યું, તે પણ કષાયોના વિનિયમનનો અભ્યાસ કરવા માટે છે; કેમ કે કષાયો ઉપર જીવનું નિયંત્રણ થાય તો ઇન્દ્રિયો અને યોગો ક્યારેય અનર્થકારી બની શકે નહીં. આથી જ ઇન્દ્રિયાદિ ત્રણના વિનિયમનમાં કષાયોના વિનિયમનની પ્રધાનતા છે. ll૧૩૮૯/૧૩૯૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy