SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | “પરિકમ દ્વાર | ગાથા ૧૩૮૮, ૧૩૮૯-૧૩૯૦ અભ્યત વિહાર સ્વીકારનારા મહાત્માએ અત્યાર સુધી આત્માને તત્ત્વથી ભાવિત કરીને ઇન્દ્રિયાદિનું નિયમન કર્યું છે એ પૂર્વપક્ષીનું કથન સત્ય છે; તોપણ ઇન્દ્રિયાદિનો સર્વથા જય થયો નથી અર્થાત્ જ્યાં સુધી આત્મામાં મોહના સંસ્કારો વર્તે છે અને મોહ આપાદક કર્મો સત્તામાં વિદ્યમાન છે, ત્યાં સુધી ઇન્દ્રિયો નિમિત્તને પામીને વિષયોમાં ઉત્સુક થાય તેવી હોય છે, કષાયો બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે તેવા હોય છે, તેમ જ મન-વચન-કાયાના યોગો ગુપ્તિને છોડીને અગુપ્તિમાં ચાલ્યા જાય તેવા હોય છે. આથી ઇન્દ્રિયાદિના જયથી અભ્યદ્યત વિહારની સિદ્ધિ થાય છે એમ માનતા એવા તે ગણિ આદિ મહાત્મા ઇન્દ્રિયાદિના અત્યંત દમન અર્થે ઇન્દ્રિયાદિના અનર્થોનું આલોચન કરતાં વિચારે છે કે “કૃતથી અનિયંત્રિત એવાં ઇન્દ્રિયાદિ ચૌદ પૂર્વધર મહાત્માને પણ નિગોદમાં લઈ જઈ શકે છે અને શ્રુતથી નિયંત્રિત એવાં ઇન્દ્રિયાદિ સર્વ કર્મનો ઉચ્છેદ કરાવીને જીવને મોક્ષમાં લઈ જઈ શકે છે,” એ પ્રકારે ઇન્દ્રિયાદિના અનર્થોનું અને લાભોનું તે મહાત્મા વિશેષથી ભાવન કરે છે. આમ, અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી વિશેષ પ્રકારનો ઉપશમભાવ થવાને કારણે જીવમાં અસંગભાવ સ્કુરાયમાન થાય, નિમિત્તા પ્રાપ્ત થવા છતાં પણ ઇન્દ્રિયો લેશ પણ વિષયોમાં ઉત્સુક બને નહીં, કષાયો શુદ્ધ આત્મતત્ત્વના રાગને છોડીને લેશ પણ અન્યત્ર પ્રવર્તે નહીં, તેમ જ મન-વચન-કાયાના યોગો શુદ્ધ આત્મતત્ત્વમાં નિવેશ માટેના દઢ વ્યાપારવાળા થાય તે રીતે, અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા પોતાના આત્માને પરિકર્ષિત કરે છે. ૧૩૮૮ અવતરણિકા : ગાથા ૧૩૮૭માં કહ્યું કે ઇન્દ્રિય, કષાય અને યોગોના વિનિયમનની ભાવના એ પરિકર્મ છે. હવે તેમાં જ વિશેષ કહે છે – ગાથા : इंदिअजोगेहिं तहा णेहऽहिगारो जहा कसाएहिं । एएहिं विणा णेए दुहवुड्डीबीअभूआ उ ॥१३८९॥ અવયાર્થ : તહીં=અને અહીં અભ્યત વિહારના પરિકર્મ દ્વારમાં, નહીં=જે રીતે સાગરિકા =કષાયો વડે અધિકાર છે, તે રીતે) ફેમિનોટિંઇન્દ્રિય અને યોગો વડે પ=નથી=અધિકાર નથી; કેમ કે) ઈહિં વિME=આમના વિના=કષાયો વગર, આ=ઈન્દ્રિય અને યોગો, કુદવઠ્ઠી વીમૂના દુઃખવૃદ્ધિના બીજભૂત =થતા નથી. * =' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : અને અભ્યધત વિહારના પરિકર્મ દ્વારમાં જે રીતે કષાયો વડે અધિકાર છે, તે રીતે ઇંદ્રિય અને - યોગો વડે અધિકાર નથી; કેમ કે કષાયો વગર ઇન્દ્રિય અને રોગો દુઃખવૃદ્ધિના બીજભૂત થતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy