SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | પરિકમ' દ્વાર / ગાથા ૧૩૮૮ તળ તેના જયથી ઇન્દ્રિયાદિના જયથી, સિદ્ધિ મતો સિદ્ધિને ગણતા એવા અભ્યદ્યત વિહારના પારની પ્રાપ્તિને માનતા એવા મહાત્મા, નર્રયત્ન કરે છે=ઈન્દ્રિયાદિના નિયમનમાં યત્ન કરે છે. * “=' પાદપૂરણમાં છે. ગાથાર્થ : નવુથી પૂર્વપક્ષી શંકા કરે છે – અભ્યધત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા વડે ઇંદ્રિયાદિ પૂર્વે જ નિયમન કરાયા હોય છે. તેને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – તમારું કથન સત્ય છે, તોપણ ઇંદિયાદિના જયથી અભ્યધત વિહારની સિદ્ધિને માનતા એવા મહાત્મા ઇંદ્રિયાદિના નિયમનમાં રત્ન કરે છે. ટીકા : इन्द्रियकषाययोगाः सर्व एव विनियमितास्तेन साधुना पूर्वमेव ननु, अत्रोत्तरं-सत्यमेतत्, तथापि यतते सः तज्जयाद्-इन्द्रियादिजयात् सिद्धि गणयन् प्रस्तुतस्येति गाथार्थः ॥१३८८॥ ટીકાર્ય : નવુથી પૂર્વપક્ષી શંકા કરે છે – તે સાધુ વડે=અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા તે ગણિ આદિ સાધુ વડે, સર્વ જ ઇન્દ્રિય, કષાય અને યોગો પૂર્વે જ=પ્રવજ્યાગ્રહણથી માંડીને ગણિ વગેરે પદનું અનુપાલન કર્યું ત્યાં સુધીમાં અભ્યત વિહારના સ્વીકારની પૂર્વે જ, નિયમાયેલા હોય છેઃનિયંત્રણ કરાયેલા હોય છે. માટે હવે તેઓને ઇન્દ્રિયાદિના વિનિયમનની ભાવના કરવાનું કોઈ પ્રયોજન નથી, આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. અહીં પૂર્વપક્ષીની શંકામાં, ગ્રંથકારશ્રી ઉત્તરને કહે છે – આ સત્ય છેઃપૂર્વપક્ષીએ જે કથન કર્યું એ સત્ય છે, તો પણ તેના જયથી=ઈન્ડિયાદિના જયથી, પ્રસ્તુતિની સિદ્ધિને ગણતા એવા=પ્રસ્તુત એવા અભ્યઘત વિહારના પારની પ્રાપ્તિને માનતા એવા, તે અદ્ભુત વિહારના સ્વીકાર માટે તત્પર થયેલા ગણિ આદિ, યત્ન કરે છે=ઈન્દ્રિયાદિના વિનિયમનમાં યત્ન કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગણિ આદિ મહાત્મા અભ્યદ્યત વિહાર સ્વીકારતાં પહેલાં ઇન્દ્રિયાદિના વિનિયમનની ભાવનારૂપ પરિકર્મ કરે છે, એમ પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે – ગણિ આદિએ સંયમ ગ્રહણ કર્યું ત્યારથી માંડીને ઇન્દ્રિયો ઉપર સંયમ રાખેલ હોય છે, કષાયોને અન્યત્ર પ્રવર્તતા બંધ કરીને યોગમાર્ગમાં પ્રવર્તાવેલ હોય છે, તેમ જ યથાતથા પ્રવર્તતા મન-વચન-કાયાના યોગોને ગુપ્તિથી નિયંત્રિત કરેલ હોય છે, એટલું જ નહીં, પરંતુ શાસ્ત્રાધ્યયન કરી કરીને ઇન્દ્રિયાદિને યોગમાર્ગમાં પ્રવર્તાવવામાં અતિશય સમર્થ હોય છે. આથી તેઓને અભ્યદ્યત વિહાર સ્વીકારતાં પહેલાં ઇન્દ્રિયાદિના નિયમન અર્થે ભાવના કરવાનું કહેવું ઉચિત નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy