SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સંલેખનાવસ્તુક / અભ્યધત વિહાર | ‘પરિક' દ્વાર / ગાથા ૧૩૮૬-૧૩૮૦ કરે તો ભગવાનની આજ્ઞાની આરાધના થતી હોવાથી તે સ્વકલ્પને ઉચિત વસ્ત્રાદિ ‘ઉપકરણ’ એ પ્રકારના યથાર્થ નામને પ્રાપ્ત કરે છે. અન્યથા યથાકૃત ઉપકરણ હોય કે સ્વકલ્પને ઉચિત ઉપકરણ હોય એ બંને અધિકરણ બને છે. આનાથી એ નક્કી થયું કે ભિક્ષાના સર્વ દોષોના પરિહારપૂર્વક ગ્રહણ કરેલ પણ ભિક્ષા માંડલીના પાંચ દોષો ટાળીને પણ વાપરવા છતાં, તે આહારથી પુષ્ટ થયેલા દેહને ભગવાનની આજ્ઞાની આરાધના કરવામાં પ્રવર્તાવવામાં ન આવે, તો તે નિર્દોષ એવી ભિક્ષા પણ ભગવાનની આજ્ઞાના આરાધનમાં ઉપકારક બનતી નહીં હોવાથી ઉપકરણ કહેવાતી નથી, પરંતુ અધિકરણ કહેવાય છે. આથી જ ભગવાનની આજ્ઞાના આરાધનમાં પ્રવર્તતી સાધુની વસ્ત્ર-પાત્ર-ભિક્ષાદિ સર્વ વસ્તુ ઉપકરણ બને છે, નહીં તો અધિકરણ બને છે. માટે અભ્યઘત વિહાર સ્વીકારનારા મહાત્માએ સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત ન થતાં પૂર્વે જે યથાકૃત ઉપકરણ ગ્રહણ કર્યાં અને પછી સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થતાં પૂર્વના યથાકૃત ઉપકરણનો ત્યાગ કરીને તે સ્વકલ્પને ઉચિત ઉપકરણ ગ્રહણ કર્યાં, તે બંને પ્રકારનાં ઉપકરણ ભગવાનની આજ્ઞાની આરાધના કરવામાં ઉપકારક હોવાથી ‘ઉપકરણ’ એ પ્રકારના યથાર્થ નામને પ્રાપ્ત કરે છે અને બંને પ્રકારના ઉપકરણ યથાર્થ નામવાળાં હોવાથી સમાન રીતે શુદ્ધ જ છે. એ પ્રકારે ગાથા ૧૩૮૪ સાથે પ્રસ્તુત ગાથાનો સંબંધ છે. ૧૩૮૬॥ અવતરણિકા : परिकर्म्मद्वारमभिधातुमाह અવતરણિકાર્ય : ‘પરિકર્મ’ દ્વારને કહેવા માટે કહે છે - ગાથા: ભાવાર્થ: ગાથા ૧૩૭૨માં અભ્યઘત વિહારનાં દશ દ્વારો બતાવેલ, તેમાંથી ગાથા ૧૩૮૩થી ૧૩૮૬માં ત્રીજા ‘ઉપકરણ’ દ્વારના સ્વરૂપનું કથન કર્યું, હવે ચોથા ‘પરિકર્મ’ દ્વારના સ્વરૂપનું અભિધાન કરવા માટે કહે છે – - Jain Education International परिकम्मं पुण इह इंदियाइविणिअमणभावणा णेआ । तमवायादालोअणविहिणा सम्मं तओ कुणइ ॥ १३८७॥ અન્વયાર્થ: ઙ્ગ અહીં=અભ્યઘત વિહારના પ્રક્રમમાં, પમ્મિ પુળ=વળી પરિકર્મ કૃત્રિયાવિનિઅમળમાવળા ને=ઇન્દ્રિયાદિના વિનિયમનની ભાવના જાણવી. તો તે કારણથી અવાયાનાતોઞવિધિળા=અપાયાદિના આલોચનની વિધિથી તા તેને=પરિકર્મને, સમાં હ્રા=સમ્યક્ કરે છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy