SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર | ‘ઉપકરણ' દ્વાર | ગાથા ૧૩૮૬ આICTK=આરાધનમાં વતં=વર્તતું એવું ઉપકરણ નત્થનામં=યથાર્થ નામને પાવરૂ=પ્રાપ્ત કરે છે. ફહરા=ઇતરથા=ભગવાનની આજ્ઞાના આરાધનરૂપ ઉપકારના અભાવમાં, (ઉપકરણ) અહિરણ્ મો=અધિકરણ જ મણિમં=કહેવાયું છે. ગાથાર્થ: ઉપકરણ પણ ઉપકારના અર્થમાં છે. ભગવાનની આજ્ઞાના આરાધનમાં વર્તતું એવું ઉપકરણ યથાર્થ નામને પ્રાપ્ત કરે છે. ભગવાનની આજ્ઞાના આરાધનરૂપ ઉપકારના અભાવમાં ઉપકરણ અધિકરણ જ કહેવાયું છે. ટીકા उपकरणमप्युपकारे, तस्या: = आज्ञायाः आराधनस्य वर्त्तमानं सत् प्राप्नोति यथार्थनाम उपकरणमिति, इतरथा=तदाराधनोपकाराभावे सत्यधिकरणमेव भणितं तदुपकरणमिति गाथार्थः ॥१३८६ ॥ (દ્વારમ્) | ટીકાર્ય ઉપકરણ પણ ઉપકારમાં છે=ઉપકારના અર્થમાં છે. તેના=આજ્ઞાના, આરાધનમાં વર્તતું છતું ‘ઉપકરણ’ એ પ્રકારના યથાર્થ નામને પ્રાપ્ત કરે છે. ઇતરથા—તેના આરાધનરૂપ ઉપકારનો અભાવ હોતે છતે=ભગવાનની આશાના આરાધનરૂપ ઉપકારનો અભાવ હોતે છતે, તે ઉપકરણ અધિકરણ જ કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સાધુની વસ્ર-પાત્રાદિ વસ્તુ ‘ઉપકરણ’ કહેવાય છે અને ઉપકરણ શબ્દ ‘ઉપકાર’ના અર્થમાં વપરાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનની આજ્ઞાની આરાધના કરવામાં જે ઉપકાર કરે તેને ‘ઉપકરણ’ કહેવાય. તેથી નિર્દોષ રીતે ગ્રહણ કરાયેલ વસ્ત્રાદિ ઉપકરણ ભગવાનની આજ્ઞાની આરાધનામાં ઉપયોગ કરાતું હોય તો તે ‘ઉપકરણ’ એ પ્રકારના યથાર્થ નામને પ્રાપ્ત કરે છે, અને સંપૂર્ણ દોષરહિત ગ્રહણ કરાયેલ પણ વસ્ત્રાદિ ઉપકરણ ભગવાનની આજ્ઞાની આરાધનામાં ઉપયોગ કરાતું ન હોય તો તે ‘અધિકરણ' જ છે. આથી ફલિત થાય કે અભ્યઘત વિહાર સ્વીકારતી વખતે સ્વકલ્પને ઉચિત એવા એષણાથી શુદ્ધ અને પ્રમાણોપેત ઉપકરણ પ્રાપ્ત ન થાય અને તેના કારણે તે મહાત્મા અભ્યુદ્ઘત વિહાર સ્વીકારવામાં વિલંબન કરે તો ભગવાનની આજ્ઞાનું આરાધન થાય નહીં, માટે તે વખતે તે મહાત્મા પોતાની પાસે રહેલાં યથાકૃત ઉપકરણ ગ્રહણ કરીને અભ્યઘત વિહાર સ્વીકારે તો, તે ગ્રહણ કરાયેલાં યથાકૃત ઉપકરણ પણ અભ્યુદ્યત વિહારના સ્વીકારરૂપ ભગવાનની આજ્ઞાની આરાધના કરવામાં ઉપકારક હોવાથી ‘ઉપકરણ’ યથાર્થ નામને પ્રાપ્ત કરે છે; અને પાછળથી સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થતાં હોય છતાં તે મહાત્મા તેને નહીં ગ્રહણ કરીને પૂર્વના યથાકૃત ઉપકરણનો જ પરિભોગ કરે તો ભગવાનની આજ્ઞાનું આરાધન થાય નહીં, માટે તે વખતે તે પૂર્વના યથાકૃત ઉપકરણને પરઠવીને પ્રાપ્ત થતાં સ્વકલ્પને ઉચિત ઉપકરણ ગ્રહણ પ્રકારના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy