SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘ઉપકરણ' દ્વાર / ગાથા ૧૩૮૫-૧૩૮૬ ટીકાઈ: પરલોકવિષયક અહીં=ધર્મની પ્રવૃત્તિમાં, સર્વથા જ આજ્ઞા પ્રમાણ જાણવી, પરંતુ અન્ય કંઈ નહીંભગવાનની આજ્ઞાથી અન્ય કંઈ પ્રમાણ નથી. તેના=ભગવાનની આજ્ઞાના, આરાધનથી ધર્મ થાય છે; કેમ કે આજ્ઞાપણું છે, વળી બાહ્ય નિમિત્ત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગણિ આદિ અન્સુદ્યત વિહાર સ્વીકારતી વખતે પોતાના કલ્પને ઉચિત ઉપકરણ ન મળે તો યથાકૃત ઉપકરણ ગ્રહણ કરે છે અને અભ્યદ્યત વિહાર સ્વીકાર્યા પછી જ્યારે પોતાના કલ્પને ઉચિત ઉપકરણ મળે ત્યારે સૂત્રોક્ત વિધિ અનુસાર પૂર્વનાં યથાકૃત ઉપકરણ વોસિરાવે છે. આ સર્વ પ્રવૃત્તિ તે મહાત્માઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરે છે અને પરલોકના વિષયવાળી ધર્મની પ્રવૃત્તિમાં સર્વથા જ ભગવાનની આજ્ઞા પ્રમાણ છે, અન્ય કાંઈ પ્રમાણ નથી. આથી બાહ્ય રીતે સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થઈ જવાથી ધર્મ થતો નથી, પરંતુ ભગવાનની આજ્ઞાનું આરાધન કરવાથી ધર્મ થાય છે; કેમ કે ધર્મ ભગવાનની આજ્ઞાના પાલન સ્વરૂપ છે, બાહ્ય શુદ્ધ ઉપકરણ તો માત્ર ધર્મનું નિમિત્ત છે. આથી ફલિત થાય કે અભ્યત વિહાર સ્વીકારનારા મહાત્માઓ એષણાથી શુદ્ધ અને પ્રમાણોપેત સ્વકલ્પને ઉચિત ઉપકરણ ગ્રહણ કરે છે, તે પ્રવૃત્તિ પણ ભગવાનની આજ્ઞા અનુસારે છે; અને તેવાં શુદ્ધ ઉપકરણ પ્રાપ્ત ન થતાં અભ્યદ્યત વિહાર સ્વીકારતા પહેલાં યથાકૃત ઉપકરણ ગ્રહણ કરે છે, તે પ્રવૃત્તિ પણ ભગવાનની આજ્ઞા અનુસારે છે; તેમ જ પાછળથી એષણાથી શુદ્ધ અને પ્રમાણોપેત સ્વકલ્પને ઉચિત ઉપકરણ પ્રાપ્ત થતા પૂર્વે ગ્રહણ કરેલાં યથાકૃત ઉપકરણ પરઠવે છે, તે પ્રવૃત્તિ પણ ભગવાનની આજ્ઞા અનુસારે છે. આથી પાછળથી પ્રાપ્ત થયેલ સ્વકલ્પને ઉચિત ઉપકરણથી જેમ સંયમની શુદ્ધિ થાય છે, તેમ પૂર્વે ગ્રહણ કરેલ યથાકૃત ઉપકરણથી પણ સંયમની શુદ્ધિ થાય છે. માટે પૂર્વનાં યથાકૃત ઉપકરણ પાછળથી પ્રાપ્ત થયેલાં સ્વકલ્પને ઉચિત ઉપકરણ તુલ્ય જ શુદ્ધ જાણવાં. ./૧૩૮પી અવતરણિકા પૂર્વગાથામાં કહ્યું કે પરલોકવિષયક ધર્મપ્રવૃત્તિમાં સર્વથા જ ભગવાનની આજ્ઞા પ્રમાણ છે, તેથી ભગવાનની આજ્ઞા અનુસાર ગ્રહણ કરાતાં યથાકૃત ઉપકરણ પણ સ્વકલ્પને ઉચિત ઉપકરણ તુલ્ય જ છે. ત્યાં પ્રશ્ન થાય કે યથાકૃત ઉપકરણ ગ્રહણ કરવામાં ઉપકરણની શુદ્ધતાના અભાવકૃત સંયમની શુદ્ધિમાં પણ કંઈક અભાવની પ્રાપ્તિ કેમ થતી નથી ? તેથી કહે છે – ગાથા : उवगरणं पुवगारे तीए आराहणस्स वद्वंतं । पावइ जहत्थनामं इहरा अहिगरण मो भणिअं ॥१३८६॥ दारं ॥ અન્વયાર્થ : ૩વરy fજ ૩૦ રે ઉપકરણ પણ ઉપકારમાં છે ઉપકારના અર્થમાં છે. તી–તેના=આજ્ઞાના, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy