SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | ઉપસંહારનો ઉપસંહાર | ગાથા ૧૦૧૧-૧૦૧૨ ૪૨૯ ભાવાર્થ : કેટલાક સાધુઓ આગમમાં જે રીતે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે તે રીતે કરતા નથી, અને પોતે જે કરે છે તે અનુષ્ઠાન પ્રમાણભૂત છે તેમ સ્થાપન કરવા માટે કહે છે કે અતીત એવા બહુશ્રુત આચાર્યોએ પણ અમે જે આચરણા કરીએ છીએ તે જ આચર્યું છે, માટે તેઓની પરંપરામાં આવેલી આ આચરણા પ્રમાણભૂત છે. આમ કહીને પોતાની વર્તમાનની આચરણા પૂર્વ પૂર્વના આચાર્યોથી આચરાયેલી છે, તેથી શાસ્ત્રવિરુદ્ધ દેખાતી હોવા છતાં પોતાની આચરણા પ્રમાણભૂત છે, તેમ સ્થાપન કરવા અર્થે તે સાધુઓ યત્ન કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તેઓની આ આચરણા કઈ રીતે પ્રમાણભૂત થઈ શકે ? અર્થાત પ્રમાણભૂત થઈ શકે નહિ. તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે લોકમાં શુદ્ધ ક્રિયાઓ વિચ્છેદ પામતી હમણાં પણ દેખાય છે; તેથી “હમણાં આગમબાહ્ય આચરણા જે સાધુઓ કરે છે તેવી જ ક્રિયા પોતાના પૂર્વનાં આચાર્યોએ કરી છે” એમ કહેવું એ વચન યુક્તિરહિત છે; કેમ કે નજીકના પૂર્વકાલીન મહાત્માઓ જેવી શુદ્ધ ક્રિયા કરતા હતા તેનાથી વિપરીત ક્રિયા કરનારા સાધુઓ વર્તમાનમાં પણ દેખાય છે. તેથી કાળના દોષથી કેટલાક સાધુઓએ પ્રમાદને વશ આગમઅનુસાર ક્રિયા કરી ન હોય, તેમનું આલંબન લઈને તેવી ક્રિયા પોતે કરે, અને તેના બળથી પૂર્વના બહુશ્રુત આચાર્યોએ આવી જ ક્રિયા કરી છે એમ કહેવું તે ઉચિત નથી. વળી પૂર્વના આચાર્યો કેવા પ્રકારની વિંદનાદિ ક્રિયા કરતા હતા તે હમણાં દેખાતું નથી, છતાં વર્તમાનની પોતાની ક્રિયાના બળથી પૂર્વના આચાર્યો પણ આવી જ ક્રિયા કરતા હતા, એમ બોલનારા જીવો ધર્મના અનધિકારી જ છે. ૧૭૧૧ અવતરણિકા : उपसंहरन्नाह - અવતરણિકાર્ય : ઉપસંહાર કરતાં કહે છે – ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ ગાથા ૧૭૦થી પ્રસ્તુત ગ્રંથનું ફળ બતાવવા દ્વારા ઉપસંહાર કરવાનો પ્રારંભ કર્યો, તે ઉપસંહાર પૂર્વગાથામાં પૂર્ણ થયો. હવે તે ઉપસંહારના કથનનો પણ ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી પૂ. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે – ગાથા : आगमपरतंतेहिं तम्हा णिच्चं पि सिद्धिकंखीहि । सव्वमणुट्ठाणं खलु कायव्वं अप्पमत्तेहिं ॥१७१२॥ અન્વયાર્થ : તા=તે કારણથી=ગાથા ૧૭૦૨થી ૧૭૧૧માં કહ્યું એમ છે તે કારણથી, સવ્યમyકા =સર્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy