SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ સંલેખનાવતુક | પંચવસ્તુકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૧૦ ગાથાર્થ : કોઈ દ્વારા ભગવાનના વચનથી પ્રેરાયેલ એવા જે સાધુ અન્ય સાધુનું ઉદાહરણ લઈને ભગવાનના વચનને સ્વીકારતા નથી, તત્ત્વવાદથી બાહ્ય એવા તે ધર્મમાં અધિકારી થતા નથી. ટીકા? सूत्रेण चोदितः 'इदमित्थमुक्तम्' एवं यः सत्त्वः अन्यं प्राणिनमुद्दिश्यात्मतुल्यमुदाहरणतया तन्न प्रतिपद्यते सौत्रमुक्तं, स एवंभूतः तत्त्ववादबाह्यः परलोकमङ्गीकृत्य परमार्थवादबाह्यो, न भवति धर्मे सकलपुरुषार्थहेतावधिकारी, सम्यग्विवेकाभावादिति गाथार्थः ॥१७१०॥ ટીકાર્ય ફ” રૂક્ષ્ય " વં સૂત્રેા વોલિતઃ યઃ સર્વે: “આ આ પ્રકારે કહેવાયું છે એ પ્રમાણે સૂત્રથી ચોદિત એવો જે સત્ત્વ=“ભગવાન વડે આ અનુષ્ઠાન આ પ્રકારે બતાવાયું છે” એ પ્રમાણે કોઈક દ્વારા સૂત્ર અનુસારે પ્રેરણા કરાયેલો એવો જે જીવ, માત્માન્ચે અચંબા સાદર તથા રૂદ્દિશ્ય પોતાની તુલ્ય અન્ય પ્રાણીને ઉદાહરણપણારૂપે ઉદ્દેશીને પોતાની જેમ આગમવિરુદ્ધ આચરણ કરનારા અન્ય જીવને દષ્ટાંત તરીકે બતાવીને, તં=જે સૌત્ર તેને=કહેવાયેલ સૌત્રનેત્રકોઈક દ્વારા બતાવાયેલ સૂત્રસંબંધી વચનને, જે પ્રતિપદને સ્વીકારતો નથી. પર્વભૂતઃ સ: ... થાઈ: . આવા પ્રકારનો તે જીવ તત્ત્વવાદથી બાહ્ય છે=પરલોકને આશ્રયીને પરમાર્થવાદથી બાહ્ય છે, સકલ પુરુષાર્થોના હેતુ એવા ધર્મમાં અધિકારી થતો નથી; કેમ કે સમ્યમ્ વિવેકનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કેટલાક સાધુઓ સૂત્રના પરમાર્થને પામેલા હોતા નથી અને સંયમના આચારો પણ ગતાનુગતિકથી પાળતા હોય છે. તેઓની તેવી પ્રવૃત્તિ જોઈને કોઈ મહાત્મા ભગવાનનું વચન બતાવીને તેઓને પ્રેરણા કરે કે “આ અનુષ્ઠાન સૂત્રમાં આ પ્રમાણે કરવાનું કહેવાયું છે” તો, તે સાધુઓ પોતાના સદશ સૂત્રનિરપેક્ષ સંયમની ક્રિયાઓ કરનારા અન્ય સાધુઓનું ઉદાહરણ આપીને “તેઓ કરે છે તેમ જ અમે પણ કરીએ છીએ” એમ કહીને તે મહાત્મા દ્વારા કહેવાયેલા શાસ્ત્રવચનને સ્વીકારતા નથી. આવા પ્રકારની પ્રકૃતિવાળા જીવો પરલોકને આશ્રયીને પરમાર્થવાદથી બાહ્ય છે, આથી તેઓની સંયમની આચરણા પરમાર્થથી ભગવાનના વચનાનુસાર અનુષ્ઠાનનો લોપ કરીને પોતાનો વિનાશ કરનારી છે; વળી તેઓમાં ભગવાનના વચન પ્રત્યે પક્ષપાત કરાવે તેવો વિવેક નહીં હોવાથી સર્વ પુરુષાર્થોનો હેતુ એવો ધર્મ કરવા માટે તેઓ અધિકારી નથી અર્થાત્ તેઓ ચાર પુરુષાર્થમાંથી કોઈ પુરુષાર્થને સાધે તેવો ધર્મ કરતા નથી, પરંતુ સર્વ પુરુષાર્થોના કારણભૂત એવા ધર્મનો વિનાશ કરે છે. અહીં ધર્મને સકલ પુરુષાર્થનો હેતુ” કહ્યો, તેનું તાત્પર્ય એ છે કે, અર્થપુરુષાર્થ-કામપુરુષાર્થ-ધર્મપુરુષાર્થમોક્ષપુરુષાર્થ : એ ચારેય પુરુષાર્થોની નિષ્પત્તિનું કારણ ધર્મ છે. તેથી સમ્યગૂ સેવાયેલો ધર્મ જીવને સુંદર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy