SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ સંલેખનાવસ્તુક | પંચવસ્તકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૦૯-૧૦૧૦ વળી તેઓની આગમથી બાહ્ય પ્રવૃત્તિ જોઈને કોઈ ગીતાર્થ તેઓને પ્રેરણા કરે કે “આ પ્રવૃત્તિથી આત્મકલ્યાણ નહીં થાય, પરંતુ ભગવાનના વચનાનુસારે આ પ્રવૃત્તિ કરવાથી આત્મકલ્યાણ થશે,” ત્યારે તેઓ શ્રુતથી બાહ્ય એવા અન્ય અગીતાર્થ સાધુઓ દ્વારા કરાતી આચરણાને પ્રમાણ કરીને કહે છે કે “આ મહાત્માઓ પણ આ પ્રમાણે જ પ્રવૃત્તિ કરે છે, આથી અમારી પ્રવૃત્તિ જિનવચનાનુસાર જ છે,” આમ કહીને તે રાંકડાઓ પોતાના વચનો દ્વારા અર્થથી સિદ્ધ થતી એવી ભગવાનની અપ્રમાણતાને જાણતા નથી. આશય એ છે કે તેવા આગમબાહ્ય આચરણ કરનારા સાધુઓની પ્રવૃત્તિ ભગવાનના વચનથી વિરુદ્ધ હોવા છતાં તેઓ પોતાની પ્રવૃત્તિને ભગવાનના વચનઅનુસાર જ માને છે, અને તેઓની તે આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિને પ્રમાણ સ્વીકારવામાં આવે તો ભગવાનનું વચન અર્થથી અપ્રમાણ સિદ્ધ થાય. આમ તે સાધુઓ અર્થથી તીર્થકરના વચનને અપ્રમાણ સ્થાપીને મહામિથ્યાત્વ પ્રાપ્ત કરે છે, જેથી તેઓના સંયમના સર્વ આચારો દુરંત સંસારના પરિભ્રમણનું જ કારણ બને છે, તેમ જ સંયમજીવનમાં બાહ્યત્યાગ, કષ્ટ વગેરે સર્વ વિફળ બને છે. આ કથનથી એ સિદ્ધ થાય કે પાંચ વસ્તુઓની આરાધનાના યત્નમાં આગમપરતંત્રતા મૂળ છે, બાહ્ય કષ્ટમય આચરણા નહીં. આથી આગમને પરતંત્ર થવાથી પ્રસ્તુત પાંચ વસ્તુઓની આરાધનામાં યત્ન થઈ શકે છે, અન્યથા પ્રસ્તુત ગ્રંથ ભણવાની ક્રિયા અને પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ વિધિનું પાલન પણ દીર્ઘ સંસારવૃદ્ધિનું કારણ બને છે, માટે શ્રદ્ધાદિના ભાવથી આગમપરતંત્ર થઈને પાંચ વસ્તુઓની આરાધનામાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો ઉપદેશ છે. ૧૭૦૯ અવતરણિકા : अत एव प्रक्रमाद्धर्मानधिकारिणमाह - અવતરણિકાર્ય : આ જ પ્રક્રમથી ધર્મના અનધિકારીને કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે મૃતબાહ્ય આચરણામાં રત એવા વરાંકો અર્થોપત્તિથી ભુવનગુરુની અપ્રમાણતાને જાણતા નથી, એ જ પ્રક્રમથી ધર્મ કરવા માટે અનધિકારી જીવના સ્વરૂપને કહે છે – ગાથા : सुत्तेण चोइओ जो अण्णं उद्दिसिअ तं ण पडिवज्जे । सो तत्तवायबज्झो न होइ धम्ममि अहिगारी ॥१७१०॥ અન્વચાઈ: સુત્તે વો નો સૂત્રથી ચોદિત એવા જ=કોઈ દ્વારા ભગવાનના વચનથી પ્રેરાયેલ એવા જે સાધુ, vi સિ૩=અન્યને ઉદ્દેશીને=આગમબાહ્ય આચરણ કરનારા બીજા સાધુનું ઉદાહરણ લઈને, તેં તેને=ભગવાનના વચનને, ન પડવને સ્વીકારતા નથી, તત્તવીર્થ સતત્ત્વવાદથી બાહ્ય એવા તે શનિ મહાર=ધર્મમાં અધિકારી ન હોદ્દ થતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy