SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ સંલેખનાવતુક | પંચવસ્તકગ્રંથનો ઉપસંહાર / ગાથા ૧૦૦૯ ગાથા : सुअबज्झायरणरया पमाणयंता तहाविहं लोअं। भुअणगुरुणो वरागाऽपमाणयं नावगच्छंति ॥१७०९॥ અન્વયાર્થ : સુઝાયરVIRયા=શ્રુતબાહ્ય આચરણમાં રત, તાવિર્દ નો પમાનયંતા તથાવિધ લોકને પ્રમાણ કરતા એવા વેરા =વરાંકો મુમગુરુપો મપાયં ભુવનગુરુની અપ્રમાણતાને નાવરાછતિ જાણતા નથી. ગાથાર્થ : મૃતબાહ્ય આચરણમાં રત, તેવા પ્રકારના લોકને પ્રમાણ કરતા એવા વરાંકો ભુવનગરની અપ્રમાણતાને જાણતા નથી. ટીકા : श्रुतबाह्याचरणरताः आगमबाह्यानुष्ठानसक्ताः प्रमाणयन्तः सन्तः केनचिच्चोदनायां क्रियमाणायां तथाविधं लोकं श्रुतबाह्यमेवागीतादिकं, किमित्याह-भुवनगुरोः भगवतः तीर्थकरस्य वराकास्तेऽप्रमाणतामापत्तिसिद्धां नावगच्छन्ति, तथाहि-यदि ते सूत्रबाह्यस्य कर्तारः प्रमाणं भगवांस्तर्हि तद्विरुद्धसूत्रार्थवक्ता अप्रमाणमिति महामिथ्यात्वं बलादापद्यत इति गाथार्थः ॥१७०९॥ ટીકાર્ય : શ્રુતથી બાહ્ય આચરણમાં રત આગમથી બાહ્ય અનુષ્ઠાનમાં સક્ત, કોઈક વડે ચોદના કરાતે છતે તેવા પ્રકારના=શ્રુતથી બાહ્ય જ, અગીતાર્યાદિ લોકને પ્રમાણ કરતા છતા, શું? એથી કહે છે – વરાંક એવા તેઓ ભુવનગુરુની-તીર્થકર ભગવાનની, અથપત્તિથી સિદ્ધ એવી અપ્રમાણતાને જાણતા નથી. તે અર્થપત્તિથી સિદ્ધ એવી ભુવનગુરુની અપ્રમાણિતાને જ તથાદિથી સ્પષ્ટ કરે છે – જો સૂત્રથી બાહ્યના કર્તા એવા તેઓ=શાસ્ત્રવચનથી વિરુદ્ધ અનુષ્ઠાન કરનારા એવા તે સાધુઓ, પ્રમાણ હોય તો તેનાથી વિરુદ્ધ એવા સૂત્રના અર્થના વક્તા=આગમબાહ્ય સાધુઓ સૂત્રના જે અર્થ બતાવે છે તેનાથી વિરુદ્ધ અર્થને કહેનારા, એવા ભગવાન અપ્રમાણ થાય, એથી બળથી=બળાત્કારે, મહામિથ્યાત્વને આપાદન કરે છે તેવા સાધુઓ પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આત્મકલ્યાણ અર્થે સંયમ ગ્રહણ કર્યા પછી પણ કેટલાક સાધુઓ શ્રુતથી બાહ્ય આચરણામાં રત હોય છે અર્થાત્ શાસ્ત્રવચનોના પરમાર્થને જાણવામાં અને જાણીને તે પ્રકારે આચરવામાં બદ્ધવૃત્તિવાળા હોતા નથી, પરંતુ સ્વરુચિ અનુસાર તપાદિ અનુષ્ઠાનોમાં રક્ત હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy