SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ગાથા ૧૯૯૦ અન્વયાર્થ : સ્થ ય અને અહીં અનશનના અધિકારમાં, મારો ઉત્ન–ખરેખર આહાર ૩વનવડ્ડમેવ નાવ્યો હોટ્ટ-ઉપલક્ષણ જ જ્ઞાતવ્ય થાય છે. ૩વત્તો=ઉપયુક્ત એવા તો=આ અનશન કરનારા મહાત્મા, સંબં માવસર્ણ ઉપસર્વ ભાવશલ્યને પણ વોશિરડું વોસિરાવે છે. ગાથાર્થ : અને અનશનના અધિકારમાં ખરેખર આહાર ઉપલક્ષણ જ જ્ઞાતવ્ય થાય છે. ઉપયુક્ત એવા અનશન કરનારા મહાત્મા સર્વ ભાવશલ્યને પણ વોસિરાવે છે. ટીકા : __ अत्र च-अनशनाधिकारे आहारः खलु परित्यागमधिकृत्योपलक्षणमेव भवति ज्ञातव्यः शेषस्यापि वस्तुनः, तथा चाह-व्युत्सृजति-परित्यजति असौ-अनशनी सर्वं उपयुक्तः सन् भावशल्यमपि सूक्ष्ममिथ्यात्वादीति गाथार्थः ॥१६९०॥ ટીકાર્ય અને અહીં અનશનના અધિકારમાં, ખરેખર પરિત્યાગને આશ્રયીને આહાર શેષ પણ વસ્તુનું ઉપલક્ષણ જ જ્ઞાતવ્ય થાય છે. અને તે રીતે કહે છે અર્થાત્ આહાર શેષ વસ્તુનું ઉપલક્ષણ હોવાથી અનશની મહાત્મા આહારની જેમ જે રીતે શેષ વસ્તુ પણ વોસિરાવે છે તે રીતે કહે છે – આ=અનશનીeત્રણમાંથી કોઈપણ પ્રકારનું અનશન કરનારા મહાત્મા, ઉપયુક્ત છતા સૂક્ષ્મ મિથ્યાત્વ આદિ સર્વ ભાવશલ્યને પણ વોસિરાવે છેપરિત્યજે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનશનના અધિકારમાં પ્રધાનરૂપે આહારત્યાગનું કથન છે, તેથી સામાન્ય રીતે અનશન કરનારા મહાત્મા આહારનો ત્યાગ કરે છે એમ લોકમાં પ્રતીત છે, તેમ જ “અનશન' શબ્દથી પણ અશનના અભાવનું ગ્રહણ છે, તેથી પણ “અનશન” એટલે આહારનો ત્યાગ પ્રતીત થાય છે. આમ છતાં, પ્રસ્તુત અનશનના અધિકારમાં જે આહારના ત્યાગનું કથન છે, તે શેષ પણ વસ્તુના ત્યાગને જણાવનાર છે, અને તે શેષ વસ્તુ પ્રધાનરૂપે સૂક્ષ્મ મિથ્યાત્વ આદિ ભાવશલ્ય છે. તેથી અનશન કરનારા મહાત્મા જેમ ત્રિવિધ કે ચતુર્વિધ આહારનો ત્યાગ કરે છે, તેમ ઉપયુક્ત થઈને સૂક્ષ્મ મિથ્યાત્વાદિ ભાવશલ્યનો પણ ત્યાગ કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવોની ભગવાનના વચનના પરમાર્થને જોનારી નિર્મળ દૃષ્ટિ તેઓને સદા સંસારના ઉચ્છેદના ઉપાયોમાં પ્રવૃત્તિ કરાવે છે અને મોક્ષના ઉપાયભૂત આત્માના નિરાકુળ ભાવમાં સુદઢ વ્યાપાર કરાવે છે. આથી જ અવિરતસમ્યગ્દષ્ટિ જીવો પણ સતત આત્મા પર પડેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy