SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ સલેખનાવસ્તુક | અભ્યરત મરણ / ગાથા ૧૯૮૯-૧૯૦ ૩૯૦ દ્રવ્યલિંગધારી=વિડંબપ્રાય =સાધુવેશની વિડંબણા કરનારા, હોય છે. તે કારણથી આવા પ્રકારના તેઓને મિથ્યાષ્ટિ જીવોને, પૂર્વમાં ઉપન્યસ્ત=ગાથા ૧૬૮૪માં બતાવેલા, ક્લિષ્ટ્રચિત્તાદિ દોષો કેમ ન થાય? થાય જ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કેટલાક જીવો અતત્ત્વના તીવ્ર પક્ષપાતવાળા મિથ્યાદષ્ટિ હોય છે, તેમાંથી કેટલાક મિથ્યાષ્ટિ જીવો અભવ્ય હોય છે, કેટલાક ચરમાવર્તની બહારના હોય છે, તો કેટલાક ચરમાવર્તની અંદર રહેલા હોવા છતાં પણ વિપર્યસ્ત બુદ્ધિવાળા હોય છે. આવા જીવો પણ લોકમાં દ્રવ્યલિંગધારી હોય છે અથવા જિનશાસનમાં દ્રવ્યલિંગધારી હોય છે અર્થાતુ અન્ય દર્શનના સંન્યાસવેશને ધારણ કરનારા હોય છે અથવા જૈનદર્શનના સાધુવેશને ધારણ કરનારા હોય છે. વળી તેઓ તે તે વેશને ગ્રહણ કરીને વેશને અનુરૂપ પ્રવૃત્તિ કરતા નહીં હોવાથી વેશવિડંબકમાય છે, માટે સંયમગ્રહણ કરેલ હોય તોપણ આવા જીવો ક્લિષ્ટ્રચિત્તાદિ દોષોવાળા કેમ ન હોય? અર્થાત્ હોય જ. આથી ગાથા ૧૬૮૪માં કહેલ કે “દ્રવ્યશ્રમણ ક્લિષ્ટ્રચિત્તાદિ દોષોવાળા હોય' એ કથન સંગત થાય છે. ૧૯૮૯ અવતરણિકા: तत्रैव प्रक्रमे विधिशेषमाह - અવતરણિકાર્ય : તે જ પ્રક્રમમાં વિધિશેષને કહે છે અર્થાતુ ગાથા ૧૬૧૪થી માંડીને અત્યાર સુધી જે પાદપોપગમનાદિ ત્રણ પ્રકારના અનશનની વિધિવિષયક પ્રક્રમ ચાલતો હતો તે જ પ્રક્રમમાં બાકી રહેલ વિધિને કહે છે – ભાવાર્થ: ગાથા ૧૬ ૧૪થી ત્રણ પ્રકારના અભ્યઘત મરણનું સ્વરૂપ બતાવવાનો પ્રારંભ કર્યો. તેમાં ગાથા ૧૬૨૭થી ભક્તપરિજ્ઞા નામના ત્રીજા અભ્યદ્યત મરણની વિધિ બતાવવાનો પ્રારંભ કર્યો. તેમાં પ્રાસંગિક રીતે ગાથા ૧૬૨૯થી ૧૬ ૬૯માં કાંદપિકી આદિ પાંચ સંક્લિષ્ટ ભાવનાઓનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી ગાથા ૧૬૭૨થી ૧૬૮૦માં તે ભક્તપરિજ્ઞા અનશનની બાકી રહેલી વિધિ બતાવી. ત્યારપછી પૂર્વે શીતલ હોવા છતાં પણ પાછળથી સંવેગ પામીને ભક્તપરિજ્ઞા અનશન કરનારા સાધુ અંતકાળે ચારિત્રના પરિણામને કઈ રીતે પ્રાપ્ત કરે છે? તે કથનની ગાથા ૧૬૮૧થી ૧૯૮૩માં ઉપપત્તિ દ્વારા સ્પષ્ટતા કરી અને તેની સાથે સંકળાયેલ પદાર્થોનું ગાથા ૧૬૮૯ સુધી વર્ણન કર્યું. આમ, ત્રણેય પ્રકારના અનશનની વિધિ પૂરી કરતાં તે જ ત્રણ પ્રકારના અનશનના પ્રક્રમમાં શેષ રહેલી વિધિને કહે છે – ગાથા : एत्थ य आहारो खलु उवलक्खणमेव होइ णायव्वो । वोसिरइ तओ सव्वं उवउत्तो भावसल्लं पि ॥१६९०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy