SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ) ગાથા ૧૬૯૦-૧૯૯૧ ૩૯૯ અવિરતિઆપાદક સંસ્કારોને ક્ષીણ-ક્ષીણતર કરે છે અને સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને વિરતિને અનુકૂળ શક્તિનો સંચય કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિમાં જ્યારે લેશ પણ પ્રમાદ થાય ત્યારે તેઓમાં પણ સૂક્ષ્મ મિથ્યાત્વનો ઉદય થાય છે. આથી અનશન કરનારા મહાત્મા ભગવાને કહેલા સૂક્ષ્મ તત્ત્વોને અવલંબીને એ રીતે ભાવન કરે કે જેથી ભગવાનના વચન પ્રત્યેની રુચિ લેશ પણ પ્લાન ન થાય, જે સૂક્ષ્મ મિથ્યાત્વના ત્યાગ સ્વરૂપ છે. વળી “સૂક્ષ્મધ્યાત્વરિ''માં “મરિ' પદથી ચારિત્રના પરિણામમાં મલિનતા કરનારા રતિ-અરતિભય-શોકાદિરૂપ ભાવશલ્યનું ગ્રહણ છે. તેથી અનશન કરનારા મહાત્મા તે ભાવોનો પણ અત્યંત પરિહાર કરે છે. જો સાધુ અનશનકાળમાં તે પ્રકારે ઉપયુક્ત ન હોય તો, દેહની પ્રતિકૂળ અવસ્થામાં ખેદ-ઉગાદિ થવાનો સંભવ રહે, તેમ જ ક્ષુધા-તૃષા આદિમાં અરતિ આદિ થવાનો સંભવ રહે, જેથી તે મહાત્માના મોહના ઉમૂલનને અનુકૂળ દઢ વ્યાપારનો ત્યાગ થાય. માટે પરલોકાર્થી એવા અનશની મહાત્માએ જેમ આહારનો ત્યાગ કરવો જોઈએ, તેમ અત્યંત ઉપયુક્ત થઈને અંતરંગ ભાવશલ્યનો પણ ત્યાગ કરવો જોઈએ. /૧૬૯l. અવતરણિકા : લિં વહુના ? – અવતરણિકાર્યઃ બહુ કહેવા વડે શું? અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે અનશની મહાત્મા આહારના ઉપલક્ષણથી શેષ એવા સર્વ ભાવશલ્યનો પણ ત્યાગ કરે છે, એ કથનમાં વધારે કહેવા વડે શું? છતાં તે મહાત્મા અનશનકાળમાં શું વિશેષ કરે છે? તેને ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – ગાથા : अण्णं पिव अप्पाणं संवेगाइसयओ चरमकाले । मण्णइ विसुद्धभावो जो सो आराहओ भणिओ ॥१६९१॥ અચાઈ: વિસુદ્ધમાવો નોકવિશુદ્ધ ભાવવાળા જે (અનશની મહાત્મા) રરમાત્વે ચરમકાળમાં સંવેફિયોસંવેગના અતિશયથી મMા મvi fપવ=આત્માને અન્યની જેમ મug=માને છે, તો મારો બf =તે આરાધક કહેવાયા છે. ગાથાર્થ: વિશુદ્ધ ભાવવાળા જે અનશની મહાત્મા ચરમકાળમાં સંવેગના અતિશયથી આત્માને અન્યની મ માને છે. તે આરાધક કહેવાયા છે. ટીકા: अन्यमिवात्मानं प्राक्तनादात्मनः संवेगातिशयात्-संवेगातिशयेन चरमकाले प्राणप्रयाणकाले मन्यते Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy