SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા | ગાથા ૧૬૮૮ ૩૫ થયેલા છે તેવા શ્રમણોથી અન્ય એવા દ્રવ્યશ્રમણો, પછી વિ ચરિત્તપરિમં પાછળથી પણ ચારિત્રના પરિણામને દંતી પામતા નથી. ગાથાર્થ : વળી સંયમજીવનમાં પહેલેથી જ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી રહિત, ચારિત્રના પરિણામ વગર જ પ્રવૃજિત થયેલા એવા દ્રવ્યશ્રમણો પાછળથી પણ ચારિત્રના પરિણામને પામતા નથી. ટીકાઃ ___ अन्ये तु प्रथममेव-आदित एवारभ्य चारित्रमोहनीयक्षयोपशमहीनाः चारित्रमन्तरेणैव प्रव्रजिताः, द्रव्यत एवम्भूताः सन्तो न लभन्ते पश्चादपि तत्रैव तिष्ठन्तश्चारित्रपरिणाम-प्रव्रज्यास्वतत्त्वरूपमिति गाथार्थः ॥१६८८॥ ટીકાર્ય : વળી પ્રથમ જ=આદિથી જ, આરંભીનેત્રસંયમજીવનની શરૂઆતથી જ માંડીને, ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી હીન, ચારિત્ર વગર જ પ્રવ્રજિત=ચારિત્રના પરિણામ વગર જ દીક્ષિત થયેલા, અન્યો પૂર્વે ચારિત્રના પરિણામવાળા હોવા છતાં ગુરુ કર્મની પરિણતિથી ક્લિષ્ટ ચિત્તાદિ દોષોને પામેલા શ્રમણોથી અન્ય એવા શ્રમણો, દ્રવ્યથી આવા પ્રકારના છતા દ્રવ્યથી સાધુવેશને ધારણ કરનારા એવા, પાછળથી પણ ત્યાં જEદ્રવ્યથી સાધુવેશમાં જ, રહેતા એવા, પ્રવ્રજ્યાના સ્વતસ્વરૂપ ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાઢ મિથ્યાત્વના ઉદયવાળા કેટલાક જીવો ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી રહિત હોવાથી કોઈક નિમિત્તને પામીને સંયમ ગ્રહણ કરે, તો પણ ચારિત્રના પરિણામ વગર જ તેઓ પ્રવ્રજિત થયેલા હોય છે. તેવા શ્રમણો ગુરુ કર્મની પરિણતિથી સંક્તિચિત્તાદિ દોષોવાળા થનારા શ્રમણો કરતાં જુદા પ્રકારના છે. અને તેઓને ગ્રંથકારશ્રીએ પ્રસ્તુતમાં ‘દ્રવ્યશ્રમણ' શબ્દથી ગ્રહણ કરેલ છે; અને તેવા દ્રવ્યશ્રમણ અસાર એવા સાધુવેશવાળા હોય છે, ગાથા ૧૬૮૪માં બતાવ્યું એવા ક્લિચિત્તાદિ દોષોવાળા હોય છે, તેમ જ પાછળથી પણ ક્લિચિત્તાદિ દોષોવાળા જ રહે છે, માટે તેઓ પ્રવ્રજ્યાના સ્વતત્ત્વરૂપ ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરતા નથી. તેથી ગાથા ૧૬૮૪માં પ્રશ્ન કરેલ કે શ્રમણ કઈ રીતે ક્લિષ્ટચિત્તાદિ દોષોવાળા થાય છે? તેની સ્પષ્ટતા પ્રસ્તુત ગાથાના કથનથી થાય છે. વળી ટીકામાં કહ્યું કે આવા પ્રકારના દ્રવ્યશ્રમણો પ્રવ્રજ્યાના સ્વતત્ત્વરૂપ ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરતા નથી. એનાથી એ ફલિત થાય કે, સંવિગ્નપાક્ષિક શ્રમણો સંક્ષિણ ભાવનાઓનું વર્જન કરે તો પાછળથી ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે પણ, તેમ જ ગુરુ કર્મની પરિણતિવાળા શ્રમણો પણ પશ્ચાત્તાપાદિના ભાવવાળા થાય તો પાછળથી ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે પણ. આથી જ કેટલાક નિતવો પણ પાછળથી પશ્ચાત્તાપાદિને પામીને ચારિત્રના આરાધક થાય છે; પરંતુ જેઓ સંયમપ્રહણથી માંડીને જ ચારિત્રના પરિણામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy