SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૮૦-૧૬૮૮ પ્રાપ્ત થયું નથી, છતાં ક્યારેક કોઈક રીતે કર્મની લઘુતા થાય તો જીવમાં માર્ગાનુસારી બુદ્ધિ પેદા થાય છે અને ઉપદેશાદિને પામીને જે તાત્પર્યથી ભગવાને શ્રુતજ્ઞાન આપ્યું તે તાત્પર્યથી તે જીવ શ્રુતજ્ઞાનને અતિમુશ્કેલીથી પ્રાપ્ત કરે છે. વળી ભગવાનના વચનના પરમાર્થને સ્પર્શનારું જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ તે જ્ઞાનનું ભાવન કરીને આત્માને ભાવિત કરવો અતિદુષ્કર છે. કો'ક જ યોગ્ય જીવ તે પ્રકારની યોગ્યતાને કારણે ભગવાનના વચનથી આત્માને ભાવિત કરે છે. જેમ નંદિષેણ મુનિએ સંયમ ગ્રહણ કરીને આત્માને સદા શ્રુતથી ભાવિત કરેલ. વળી ભગવાનના વચનથી ભાવિતમતિવાળા થયા પછી પણ વિષયો પ્રત્યે આકર્ષણ પેદા કરાવે તેવી કર્મપરિણતિના વશથી, વિષયોમાં અપ્રવૃત્તિ કરાવે તેવો વિરાગભાવ જીવ દુઃખે કરીને પ્રાપ્ત કરે છે. આથી જ નંદિષેણ મુનિ જિનવચનથી ભાવિતમતિવાળા હોવા છતાં કર્મપરિણતિના વશથી વેશ્યાના ઘરે રહ્યા. આવું કેમ થાય છે ? તે સ્પષ્ટ કરવા કહે છે કે જીવે વિષયોની પ્રવૃત્તિને અતિશય સેવન કરીને સાત્મીભૂત કરી છે, તેથી શ્રમણ પણ ગુરુ કર્મપરિણતિના ઉદયથી ક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે. એ પ્રકારનું ગાથા ૧૬૮૫ના ઉત્તરાર્ધનું કથન સંગત થાય છે. /૧૬૮૭ll અવતરણિકા : एवं गुरुकर्मपरिणतेः क्लिष्टचित्तादिभावोऽविरुद्धः, द्रव्यश्रमणमाह - અવતરણિકાઈઃ આ રીતે ગાથા ૧૬૮૬-૧૬૮૭માં બતાવ્યું એ રીતે, ગુરુ કર્મની પરિણતિથી ક્લિચિત્તાદિનો ભાવ અવિરુદ્ધ છે. હવે દ્રવ્યશ્રમણને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬૮પમાં પ્રશ્ન કરેલ કે શ્રમણ ક્લિચિત્તાદિ દોષોવાળા કઈ રીતે સંભવે ? ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ બે કારણ બતાવ્યાં કે (૧) ગુરુ કર્મની પરિણતિથી શ્રમણ ક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે અને (૨) દ્રવ્યશ્રમણ ક્લિષ્ટ ચિત્તાદિ દોષોવાળા થાય છે. તેમાંથી પ્રથમ કારણનું ગાથા ૧૬૮૬-૧૯૮૭થી ગ્રંથકારશ્રીએ સમર્થન કર્યું, હવે બીજા કારણનું ગાથા ૧૬૮૮૧૬૮૯થી સમર્થન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : अन्ने उ पढमगं चिअ चरित्तमोहक्खओवसमहीणा । पव्वइआ ण लहंती पच्छा वि चरित्तपरिणामं ॥१६८८॥ અન્વયાર્થ : પઢમાં ત્રિમ વળી પ્રથમ જ પ્રવ્રજ્યાગ્રહણથી માંડીને જ, ચરિત્તમોદgોવામી =ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી હીન, પવ્વ=પ્રવ્રજિત=ચારિત્રના પરિણામ વગર જ પ્રવ્રજિત થયેલા, = અન્યો જેઓ પૂર્વે ચારિત્રના પરિણામવાળા હોવા છતાં ગુરુ કર્મની પરિણતિથી ક્લિચિત્તાદિ દોષોવાળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy