SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૦-૧૬૦૮ પ્રકારે શુભધ્યાનના અભાવકાળમાં ચિત્ત દેહ સાથે સંશ્લેષ પામીને વિહ્વળતા અનુભવે તે પ્રકારના, આત્મપરિણામરૂપ લેશ્યા પણ અશુભ થાય છે, અને તેનાથી=અશુભ લેશ્યાથી, પરભવમાં=જન્માંતરમાં પણ, તે લેશ્યાઓમાં જ અશુભ લેશ્યાઓવાળા ભવોમાં જ, ઉપપાતરૂપ મહાન અનર્થ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનશન કરનાર સાધુ શુભધ્યાનનો વ્યાઘાત થાય તેવી દેહની પીડાની ઉપેક્ષા કરે તો, તે દેહની પીડામાં ચિત્ત વારંવાર જવાથી શાસ્ત્રવચનોનું સમ્યફ ચિંતવન થઈ શકે નહીં, અને મહાત્મા સૂત્ર-અર્થોનું પરાવર્તન કરીને આત્માને શ્રુતથી ભાવિત કરવા યત્ન કરતા હોય તોપણ, તે શ્રુતના ભાવોથી પોતાના આત્માને વાસિત કરી શકતા નથી. વળી દેહની અસ્વસ્થતા હોય ત્યારે, ચિત્ત વારંવાર સ્કૂલના પામતું હોવાથી શુભધ્યાનનો અભાવ થાય તો, લેગ્યા પણ અશુભ જ થાય છે અર્થાત્ દેહની પીડિત અવસ્થા પ્રત્યે વારંવાર દ્વેષથી સંવલિત એવા આત્મપરિણામરૂપ અશુભ લેશ્યા થાય છે, જે અશુભ લેશ્યાથી પરભવમાં પણ તેવી અશુભ લેશ્યાવાળા હલકાં ભવોમાં ઉપપાત થાય છે, જે ઉપપાત અનશન કરનારા મહાત્મા માટે મહા અનર્થરૂપ છે. માટે કલ્યાણના અર્થી સાધુએ જેમ તત્ત્વથી ભાવિત થવા માટેનો ઉદ્યમ કરવો જોઈએ, તેમ ધર્મની અપીડારૂપે દેહની સમાધિ માટેનો પણ અવશ્ય ઉદ્યમ કરવો જોઈએ. ૧૬૭૭ ગાથા : तम्हा उ सुहं झाणं पच्चक्खाणिस्स सव्वजत्तेणं । संपाडेअव्वं खलु गीअत्थेणं सुआणाए ॥१६७८॥ અન્વયાર્થ : તખ્તી–તે કારણથી પૂર્વગાથામાં કહ્યું એમ છે તે કારણથી, સુત્રાપII શ્રુતજ્ઞા વડે નીકળેf=ગીતાર્થે પડ્યgif =પ્રત્યાખ્યાનીને=ભક્તપરિજ્ઞા અનશનનું પચ્ચખ્ખાણ કરનારા સાધુને, સત્રનાં સર્વ યત્ન વડે રઘr=નિયોગથી સુદંડાપાં=શુભ જ ધ્યાન સંપાડેગવં=સંપાદન કરાવવું જોઈએ. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું એમ છે તે કારણથી શ્રુતાજ્ઞા વડે ગીતાર્થ સાધુએ પ્રત્યાખ્યાની સાધુને સર્વ રત્ના વડે નિયમથી શુભ જ ધ્યાન સંપાદન કરાવવું જોઈએ. ટીકા : ___ यस्मादेवं तस्मात् शुभमेव ध्यानं प्रत्याख्यानिनः सर्वयत्नेन कवचज्ञातात् सम्पादयितव्यं खलुनियोगतः गीतार्थेन श्रुताज्ञया साधुनेति गाथार्थः ॥१६७८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy