SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ભક્તપરિજ્ઞા | ગાથા ૧૬૦૮, ૧૬૦૯-૧૬૮૦ ૩૮૧ ટીકાર્ય : જે કારણથી આમ છે=પૂર્વગાથામાં કહ્યું કે દેહની અસમાધિથી શુભધ્યાનનો અભાવ થાય તો અશુભ લેશ્યા પ્રાપ્ત થાય છે અને અશુભ લેશ્યાથી અન્ય જન્મમાં પણ અશુભ લેશ્યામાં ઉપપાતરૂપ મહા અનર્થ થાય છે એમ છે, તે કારણથી શ્રુતની આજ્ઞા વડે=આગમવચનાનુસારે, ગીતાર્થ સાધુએ પ્રત્યાખ્યાનીને=ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરનારા ભક્તપરિજ્ઞા અનશનવાળા સાધુને, કવચના જ્ઞાતથી=બખ્તરના દૃષ્ટાંતથી, સર્વયત્ન વડે નિયોગથીનિયમથી, શુભ જ ધ્યાન સંપાદન કરાવવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ધર્મધ્યાન કરવામાં વ્યાઘાતક દેહની પીડાનું વર્જન કરવામાં ન આવે તો, આરાધક પણ સાધુને અશુભ લેશ્યાની પ્રાપ્તિ થવાથી જન્માંતરમાં અશુભ લેશ્યાવાળા ભવની પ્રાપ્તિ થાય છે. તે કારણથી અનશન કરનાર સાધુને અશુભધ્યાન થતું હોય તો ગીતાર્થ સાધુએ શ્રુતની આજ્ઞા અનુસાર સર્વ યત્નથી તેઓને અશુભ ધ્યાનમાંથી બહાર કાઢીને નિયમથી શુભધ્યાનમાં પ્રવર્તાવવા જોઈએ. વળી, તે પ્રયત્ન ગીતાર્થ સાધુએ કવચના દષ્ટાંતથી કરવો જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય છે, કોઈ મહાત્માએ અનશનકાળમાં ચારેય આહારનું પચ્ચખાણ કર્યું હોય, ત્યારે તૃષાથી અત્યંત વ્યાકુળ થતા હોય અને કોઈપણ રીતે તેઓ શુભધ્યાન કરવા સમર્થ ન હોય; તેવા સંયોગોમાં તેમની પાસે રહેલા ગીતાર્થ સાધુ વિચારે કે આ અનશની મહાત્મા આ રીતે તૃષાથી વ્યાકુળ થઈને પાણી પાણી કરતાં કાળ કરશે તો અશુભ લેશ્યાને કારણે અવશ્ય દુર્ગતિને પ્રાપ્ત કરશે” આમ વિચારીને તે મહાત્માનું દુર્ગતિપાતથી રક્ષણ કરવા માટે તે ગીતાર્થ સાધુ શ્રતની આજ્ઞા અનુસાર અપવાદથી થોડું પાણી આપીને પણ તે અનશની મહાત્માને સ્વસ્થ કરે અને ફરી શુભધ્યાનમાં સ્થિર કરીને તેઓને અનશન પાર કરાવે. આવા અવસરે અનશની મહાત્માને અપવાદથી અપાયેલ પાણીની પ્રવૃત્તિ “કવચ' તુલ્ય છે, જેનાથી તે મહાત્માનું અશુભધ્યાનથી રક્ષણ થાય છે. આ પ્રમાણે ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથમાં ગાથા-૨૦૧ની ટીકામાં કહેલ છે. આથી ફલિત થયું કે શુભચિંતવનરૂપ ધર્મધ્યાનમાં વ્યાઘાત કરનાર કોઈપણ નિમિત્ત ઉપસ્થિત થાય ત્યારે, ગીતાર્થ સાધુ શ્રુતજ્ઞાનું પર્યાલોચન કરીને, તે અનશની મહાત્મા જે રીતે અશુભધ્યાનથી નિવર્તન પામે તે રીતે સર્વ યત્નથી નિયમા તે અનશની મહાત્માને શુભધ્યાન પ્રાપ્ત કરાવે, જેથી તે મહાત્માનું હિત થાય. માટે ધર્મધ્યાનની પીડા કરનાર એવી દેહની અસમાધિના પરિવાર માટે ગીતાર્થ સાધુ જે જે ક્રિયા કરે છે તે તે ક્રિયા કવચના દૃષ્ટાંત જેવી છે, જે કવચરૂપ ક્રિયા ગીતાર્થ સાધુ સ્વમતિથી કરતા નથી, પરંતુ શ્રુતની આજ્ઞાના બળથી કરે છે, તેમ જ તે પ્રત્યાખ્યાની સાધુને શુભધ્યાનમાં લઈ જવા માટે નિયોગથી શક્ય સર્વ પ્રયત્ન કરે છે, જેથી તે અનશન કરનારા મહાત્માનું એકાંતે હિત થાય છે. ./૧૬૭૮ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે અનશની મહાત્મા કોઈક નિમિત્તને પામીને શુભધ્યાનથી પાત પામ્યા હોય તો ગીતાર્થ સાધુ કવચના દૃષ્ટાંતથી સર્વ યત્ન દ્વારા તે મહાત્માને શુભ જ ધ્યાન સંપાદન કરાવે છે. હવે તે અનશની મહાત્મા પણ પોતાના શુભધ્યાનના રક્ષણ માટે શું કરે છે? તે બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy