SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા/ ગાથા ૧૦૦૧ ગાથા : कयमित्थ पसंगेणं पगयं वोच्छामि सव्वनयसुद्धं । भत्तपरिणाए खलु विहाणसेसं समासेणं ॥१६७१॥ અન્વચાઈ: રૂસ્થ અહીં=ભક્તપરિણા નામના ત્રીજા અભ્યઘત મરણના પ્રક્રમમાં, પોf યંત્રપ્રસંગથી સર્યું. સત્રનયસુદ્ધ ઘ7 મત્તપરિપUTIણ વિહારૂં પયં-વળી સર્વ નયોથી શુદ્ધ એવા ભક્તપરિજ્ઞાના વિધાનશેષરૂપ પ્રકૃતિને સમા=સમાસથી=સંક્ષેપથી, યોછામિ હું કહીશ. ગાથાર્થ ભક્તપરિજ્ઞા નામના ત્રીજા અભ્યધત મરણના પ્રક્રમમાં પ્રસંગથી સર્યું. વળી સર્વ નાયોથી શુદ્ધ એવા ભક્તપરિજ્ઞાના વિધાનશેષરૂપ પ્રકૃતને સંક્ષેપથી હું કહીશ. ટીકા? ___ कृतमत्र प्रक्रमे प्रसङ्गेन, प्रकृतं वक्ष्यामि, किंभूतम् ? सर्वनयविशुद्धं, किमित्याह-भक्तपरिज्ञायाः खलु विधानशेषं यन्नोक्तं समासेन-सक्षेपेणेति गाथार्थः ॥१६७१॥ ટીકાર્થ: અહીં=પ્રક્રમમાં ભક્તપરિણા અનશનના વર્ણનના પ્રક્રમમાં, પ્રસંગથી સર્ષ પૂર્વે સંક્લિષ્ટ ભાવનાઓના સ્વરૂપનું પ્રાસંગિક કથન કર્યું એ રૂપ પ્રસંગથી સર્યું. પ્રકૃતિને હું કહીશ. કેવા પ્રકારના પ્રકૃતિને કહીશ? તે બતાવે છે – સર્વ નયોથી વિશુદ્ધ એવા પ્રકૃતિને હું કહીશ. અહીં પ્રકૃતિ શું છે? એથી કહે છે – વળી ભક્તપરિજ્ઞાનું વિધાનશેષ જે કહેવાયું નથી ગાથા ૧૬૨૭માં ભક્તપરિજ્ઞા અનશન કરવાની વિધિ બતાવી ત્યાં જે શેષ વિધિ બતાવાઈ નથી, એ રૂપ પ્રકૃતિને સમાસથી=સંક્ષેપથી, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૬૨૭માં ભક્તપરિજ્ઞા અનશન કરતાં પહેલાં કરવાની વિધિ બતાવવાનો પ્રારંભ કર્યો, અને ગાથા ૧૬૨૮માં કહ્યું કે પૂર્વે શીતલ અને પાછળથી સંવેગ પામેલા અનશન કરનાર સાધુએ સંક્લિષ્ટ ભાવનાઓનું વિશેષથી વર્જન કરવું જોઈએ, જે વર્જનથી તે સાધુ ચારિત્રની આરાધના પ્રાપ્ત કરે છે. આમ, ભક્તપરિજ્ઞાની વિધિનો એક અંશ ગાથા ૧૬૨૭-૧૬૨૮માં બતાવ્યો, ત્યાં ગ્રંથકારશ્રીને સ્મરણ થયું કે અનશન કરનાર સાધુઓ માટે સંક્લિષ્ટ ભાવનાઓના સ્વરૂપનું કથન ઉપયોગી છે, માટે ગાથા ૧૬૨૯થી ૧૬૭૦ સુધી ગ્રંથકારશ્રીએ તે સંક્લિષ્ટ ભાવનાઓનું વર્ણન કર્યું, જે પ્રાસંગિક કથનરૂપ હતું. તેથી તે પ્રાસંગિક કથન સમાપ્ત કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે “પ્રસંગથી સર્યું.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy