SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ સેલખનાવસ્તુક અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા) કુભાવના/ ગાથા ૧૬૦૦ ૩૦૧ ટીકાઃ एतासां भावनानां विशेषेण तत्त्यागो भवति तेन कर्त्तव्यो विवक्षितानशनिना पूर्वभावितानामपि सतीनां पश्चात्तापादियोगेन भावसारेणेति गाथार्थः ॥१६७०॥ * “પશુપરિ"માં ‘રિ' પદથી નિંદા-ગહનો સંગ્રહ કરવાનો છે. ટીકાર્ચ: તે કારણથી=સંક્ષિણ ભાવનાઓના વર્જનથી અનશન કરનાર સાધુ આરાધનાને પ્રાપ્ત કરે છે તે કારણથી, તેના વડે=વિવક્ષિત અનશની વડે=ગાથા ૧૯૨૭માં વિવફા કરાયેલા એવા પૂર્વે શિથિલ અને પાછળથી સંવેગ પામેલા ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા વડે, પૂર્વમાં ભાવિત પણ છતી આ ભાવનાઓનો=કાંદપિકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓનો, ભાવસાર=ભાવ છે પ્રધાન જેમાં એવા, પશ્ચાત્તાપાદિના યોગ વડે વિશેષથી ત્યાગ કર્તવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમી મહાત્માઓ મોક્ષના અર્થે સંયમ પાળતા હોય છે, છતાં કોઈ સાધુ અનાદિ અભ્યાસને કારણે સંયમજીવનમાં પૂર્વે સંવેગના શિથિલ પરિણામવાળા હોય તો, સંયમજીવનમાં વારંવાર કંદર્પાદિ ભાવો સેવે છે અને પાછળથી તે મહાત્મા કોઈક નિમિત્તથી સંવેગ પામે અને તેઓને પૂર્વમાં કરેલ અશુભભાવો નિમિત્તે પશ્ચાત્તાપાદિ થાય, તેમ જ જીવનના અંત સમયે ભક્તપરિજ્ઞા અનશન-કરવા તત્પર થાય તો, તેવા અનશન કરનારા સાધુએ આ કાંદપિંકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓને વિશેષથી વર્જવી જોઈએ. જોકે આ કાંદપિકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓનો ત્યાગ સર્વ સાધુઓએ સદા કરવાનો છે અને અનશનકાળમાં તો આ સંક્ષિણ ભાવનાઓ સર્વથા કરવાની નથી. આથી જે સંયમમાં અપ્રમાદી સાધુઓએ પૂર્વે આ ભાવનાઓ પ્રાયઃ સેવી ન હોય અને અલનાથી ક્વચિત્ સેવી હોય તોપણ તત્કાળ તે અલનાની શુદ્ધિ કરી હોય, તેવા સાધુઓ અંતકાળે તે સંક્લિષ્ટ ભાવનાઓ પ્રત્યે સામાન્યથી જુગુપ્સા કરીને આત્માને શાસ્ત્રવચનાનુસાર ભાવિત કરવા ઉદ્યમ કરે છે; પરંતુ જે સાધુઓએ સંયમજીવનના પૂર્વકાળમાં શિથિલ પરિણામને કારણે આ સંક્લિષ્ટ ભાવનાઓ સેવી હોય, તેઓ અનશનકાળમાં તે ભાવનાઓનું વર્જન કરે તોપણ, તે ભાવનાઓના સેવનથી આત્મા પર ભાવનાઓના પ્રબળ સંસ્કારો આધાન થયેલા હોવાથી તેવા સાધુઓમાં વિશુદ્ધ સંયમસ્થાન પ્રગટતું નથી, તેથી તેવા અનશન કરનારા સાધુઓએ “સંક્લિષ્ટ ભાવનાઓ સંયમમાં મલિનતાનું કારણ છે, દેવદુર્ગતત્વનું અને સંસારપરિભ્રમણનું કારણ છે, સંયમની વિફળતાનું કારણ છે” એ સર્વનું સમ્યક સમાલોચન કરીને, કાંદપિકી ભાવનાઓ કરવાથી ઉત્પન્ન થતા અનર્થોનું વારંવાર ચિંતવન કરીને પોતે પૂર્વે પ્રમાદવશ જે ભાવો સેવ્યા છે, તે ભાવો પ્રત્યે અત્યંત ધૃણા થાય તે પ્રકારનો ભાવસાર પશ્ચાત્તાપ કરવો જોઈએ અને નિંદા-ગઈ કરવી જોઈએ, જેથી કંદર્પાદિ ભાવનાઓના સેવનથી આત્મા પર પડેલા સંસ્કારોનો નાશ થાય. આમ, યથોક્ત અનશની સાધુએ કાંદપિંકી આદિ ભાવનાઓનો વિશેષથી ત્યાગ કરવો જોઈએ, જેથી ગાથા ૧૬૨૮માં કહ્યા મુજબ સંક્ષિણ ભાવનાઓના વર્જનથી તે મહાત્મા આરાધનાને પ્રાપ્ત કરી શકે છે. ૧૬૭oll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy