SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૬૯-૧૬૦૦ છે; આમ છતાં તેવા પ્રકારના નિમિત્તને પામીને તેઓ જ્યારે કંદાદિ ભાવોને સેવે છે, ત્યારે તેઓનું સંયમસ્થાન કંઈક અતિચારથી મલિન થાય છે, તોપણ જિનવચનાનુસાર સમભાવમાં યત્ન કરવાનો બદ્ધરાગ હોવાથી, કંદર્પાદિ ભાવો સેવ્યા પછી તેનાથી લાગેલ અતિચારની શુદ્ધિ કરવા યત્ન કરે છે, તેવા સાધુઓમાં વિશુદ્ધ જાતિનાં સંયમસ્થાનો કરતાં અશુદ્ધ જાતિનાં સંયમસ્થાનો વર્તે છે. તેથી કંદર્પાદિના સેવનકાળમાં પણ તેવા સાધુઓમાં વ્યવહારનયથી ચારિત્ર સ્વીકારવામાં કોઈ દોષ નથી; કેમ કે કંદર્પાદિનું સેવન કરતી વખતે પણ તેઓમાં અતિચારોવાળું સંયમસ્થાન વિદ્યમાન છે. I૧૬૬મા અવતરણિકા: प्रकृतयोजनामाह - અવતરણિતાર્થ : પ્રકૃતિની યોજનાને કહે છે અર્થાત્ ગાથા ૧૬૨૮માં કરેલા પ્રકૃતિ કથનની પ્રસ્તુત ગાથામાં યોજનાને કહે છે – ભાવાર્થ: ગાથા ૧૬૨૭માં કહેલ કે ભક્તપરિજ્ઞા અનશન કરતી વખતે પૂર્વે પરલોક પ્રત્યે શીતલ પણ જીવનના અંતકાળે સંવેગ પામેલા સાધુ વિકટના કરે છે. ત્યારપછી ગાથા ૧૬૨૮માં કહેલ કે આવા સાધુ સંક્લિષ્ટ ભાવનાને વિશેષથી વર્જે છે અને તેનાથી આરાધનાને પ્રાપ્ત કરે છે. ત્યારપછી અત્યાર સુધી તે વિશેષથી વર્જન કરવા યોગ્ય સંક્લિષ્ટ ભાવનાનું વિસ્તારથી વર્ણન કર્યું. - હવે ગાથા ૧૯૨૮માં દર્શાવ્યા પ્રમાણે યથોક્ત અનશની વિશેષથી સંક્લિષ્ટ ભાવનાનું વર્જન કરે છે એ રૂપ પ્રકૃતિ કથનનું પ્રસ્તુત ગાથામાં યોજના કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : एआण विसेसेणं तच्चाओ तेण होइ कायव्यो । पुट्विं तु भाविआण वि पच्छायावाईजोएणं ॥१६७०॥ અન્વયાર્થ : તા–તે કારણથી તેણ–તેના વડે–સાધુ વડે, પુત્રિ વિજ્ઞાન વિ ા =પૂર્વે ભાવિત પણ આમનો= સંક્લિષ્ટ ભાવનાઓનો, પછાયાવીરૂનો પશ્ચાત્તાપ આદિના યોગ વડે વિરેસેv=વિશેષથી ચાલે #ાયવ્વો ઢોડું ત્યાગ કર્તવ્ય થાય છે. ગાથાર્થ : તે કારણથી સાધુ વડે પૂર્વે ભાવિત પણ સંકિલષ્ટ ભાવનાઓનો પશ્ચાત્તાપાદિના યોગ વડે વિશેષથી ત્યાગ કર્તવ્ય થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy