SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા/ કુભાવના / ગાથા ૧૬૯ ૩૯ ટીકાઃ किन्त्वसङ्ख्येयानि संयमस्थानानि तारतम्यभेदेन येन चरणेऽपि-चारित्रेऽपि भणितान्यागमे जातिभेदात्-तज्जातिभेदेन, तेन कारणेन न दोष इह कश्चित् कन्दर्पादौ, तथाविधसंयमस्थानभावादिति થાર્થ: I૬૬૬ ટીકાઈઃ પરંતુ જે કારણથી ચરણમાં પણ=ચારિત્રમાં પણ, જાતિના ભેદથી–તેની જાતિના ભેદથી ચારિત્રની જાતિના ભેદથી, આગમમાં તારતમ્યના ભેદ વડે અસંખ્ય સંયમસ્થાનો કહેવાયાં છે, તે કારણથી અહીંકંદર્પાદિમાં, કોઈ દોષ નથી=વ્યવહારથી ચારિત્ર સ્વીકારવામાં કોઈ દોષ નથી, કેમ કે તે પ્રકારના સંયમસ્થાનનો ભાવ છે=કંદર્પાદિના સેવનકાળમાં પણ અતિચારના ભાવોથી કંઈક મલિનતાવાળા સંયમસ્થાનનો સદ્ભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૬૬૫માં કહ્યું કે અસંક્લિષ્ટ પણ કોઈ સાધુ વ્યવહારથી ચારિત્રનો પરિણામ હોતે છતે કંદર્પાદિને સેવે છે અને નિશ્ચયનયથી કંદાદિ ભાવનાઓમાં ચારિત્ર નથી. ત્યારપછી ગાથા ૧૬૬૬થી ૧૬૬૮માં સ્થાપન કર્યું કે ચારિત્રના સદ્ભાવમાં કંદર્પાદિ સંભવે નહીં. આ કથનથી એ ફલિત થાય કે, આત્મભાવમાં ચરવું એ ચારિત્ર છે. તેથી સંસારના સર્વ ભાવોથી પર થઈને શ્રુતના બળથી શુદ્ધ આત્માના સ્વરૂપને આત્મામાં પ્રગટ કરવા અર્થે સુદઢ વ્યાપાર કરનાર સાધુ વીતરાગભાવરૂપ આત્મભાવમાં વર્તે છે, માટે તેઓમાં ચારિત્ર છે; જયારે કંદર્પાદિનું સેવન એ મોહથી અભિવ્યક્ત થતું ચૈતન્ય છે, તેથી કંદર્પાદિના સેવનકાળમાં સાધુ આત્મભાવમાં વર્તતા નથી, માટે તેઓમાં ચારિત્ર નથી. આ રીતે નિશ્ચયનયનું કથન કર્યા પછી, ગાથા ૧૬૬૫માં કહેલ કે વ્યવહારનય અપ્રશસ્ત ભાવનાઓમાં ચારિત્ર સ્વીકારે છે, તે કથન કઈ અપેક્ષાએ છે? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આગમમાં સંયમસ્થાનો જાતિના ભેદથી તારતમ્ય વડે અસંખ્યાતા કહેવાયાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા નિશ્ચયનયને અભિમત એવો શુદ્ધ આત્મભાવમાં જવા માટેનો ઉદ્યમ કરતા હોય, તેઓ ઉત્તરોત્તર અધિક-અધિક વિશુદ્ધિવાળાં સંયમસ્થાનોમાં જતા હોય છે. તેથી નિશ્ચયનયને અભિમત સંયમસ્થાનો તરતમતાના ભેદથી અસંખ્ય ભેટવાળાં પ્રાપ્ત થાય, પરંતુ તે સંયમસ્થાનો શુદ્ધ આત્મામાં જવાને અનુકૂળ અસ્મલિત વ્યાપારવાળાં હોવાથી વિશુદ્ધ એવી એક જાતિવાળાં છે, ફક્ત આદ્ય ભૂમિકાનાં સંયમસ્થાનો ઉત્તરઉત્તરમાં અધિક-અધિક વિશુદ્ધતાને પામી રહ્યાં છે. વળી, આગમમાં સંયમસ્થાનો જાતિના ભેદથી અસંખ્યાતા કહેવાયાં છે. એ કથનથી એ ફલિત થાય કે વિશુદ્ધ જાતિનાં સંયમસ્થાનો છે, તેમ અતિચારપંકથી મલિન થયેલાં અશુદ્ધ જાતિનાં પણ સંયમસ્થાનો છે; અને જે સાધુઓ અસંક્લિષ્ટ પરિણામવાળા છે, સમભાવ પ્રત્યે બદ્ધરાગવાળા છે, માટે ચારિત્રમાં વર્તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy