SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ સંલેખનાવતુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૬૦–૧૬૮ કર્યા પછી તેમાં અનાભોગાદિથી થયેલી સ્કૂલનાઓને નિંદા-ગ દ્વારા દૂર કરતા નથી, તે સાધુ મિથ્યાદષ્ટિ છે; કેમ કે તે સાધુ ભગવાનની આજ્ઞાની વિરાધના કરનાર છે અર્થાત્ ભગવાનની આજ્ઞાનુસાર શક્તિના પ્રકર્ષથી ઉચિત પ્રવૃત્તિ કરીને મોહના નાશ માટેનો ઉદ્યમ કરનારા નથી, માટે મિથ્યાદષ્ટિ છે. વળી આવા સાધુ પોતે આગમવિરુદ્ધ યથાતથા અનુષ્ઠાન કરીને અન્યને પણ સદનુષ્ઠાનવિષયક શંકા પેદા કરે છે કે આ અનુષ્ઠાન આ સાધુ કરે છે તે રીતે કરવાનું છે? કે અન્ય રીતે કરવાનું છે? આ પ્રકારની શંકા પેદા કરાવીને તે સાધુ બીજાના વિપર્યાસમાં નિમિત્ત બને છે, જેનાથી પોતાના જ મિથ્યાત્વને વધારે છે. આથી નિશ્ચયનય અખંડ ચારિત્રને ઇચ્છે છે, માટે અખંડ ચારિત્ર પાળનાર સાધુમાં જ ચારિત્ર સ્વીકારે છે, અન્યમાં નહીં. ૧૬૬ll અવતરણિકા : स्याद्-यथावादमेव कन्दर्पादिकरणमित्याशङ्क्याह - અવતરણિકાઈ: થાય આ પ્રમાણે કોઈને શંકા થાય. કંદર્પાદિનું કરણ યથાવાદ જ છે, એ પ્રકારની આશંકા કરીને કહે ભાવાર્થ : સ્થૂલ બુદ્ધિથી કોઈને લાગે કે ભગવાનનું શાસન બકુશ-કુશીલ સાધુઓથી ચાલે છે અને બકુશ-કુશીલ સાધુઓને કંદર્પાદિ ભાવો થાય છે, તેથી કંદર્પાદિ ભાવોનું કરણ આગમ અનુસારે જ છે. માટે કંદપદિ ભાવનાઓ કરનારા સાધુમાં ચારિત્ર નથી એમ કહી શકાય નહીં. આ પ્રકારની શંકાનું ઉભાવન કરીને તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : कंदप्पाईवाओ न चेह चरणम्मि सुव्वइ कहिंचि । ता एअसेवणं पि हु तव्वायविराहगं चेव ॥१६६८॥ અન્વયાર્થ: રવિ સંપ્યારુંવારો અને ચરણવિષયક કંદાદિનો વાદ રૂદ અહીં આગમમાં, હિંદ્રિકક્યાંય જ સુબ્રડું સંભળાતો નથી. તા-તે કારણથી સેવા ઉપ=આનું સેવન પણ=કંદર્પાદિનું સેવન પણ, તવ્યાયવરદા વેવ=તેના વાદનું વિરાધક જ છે ચારિત્રના વાદનું વિરાધક જ છે. * દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને ચરણવિષયક કંદપદિનો વાદ આગમમાં ક્યાંય સંભળાતો નથી, તે કારણથી કંદાદિનું સેવન પણ ચારિત્રના વાદનું વિરાધક જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy