SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૬૬ ૩૫ ગાથા : अक्खंडं गुणठाणं इ8 एअस्स णियमओ चेव । सइ उचियपवित्तीए सुत्ते वि जओ इमं भणियं ॥१६६६॥ અન્વયાર્થ : =આનેકનિશ્ચયનયને, નિયમો વ=નિયમથી જ સ વિથપવિત્તી સદા ઉચિત પ્રવૃત્તિ વડે ગુISા દું-અખંડ ગુણસ્થાન ઇષ્ટ છે; નમો જે કારણથી સુ વિ # યંગસૂત્રમાં પણ આ હવે બતાવાશે એ, કહેવાયું છે. ગાથાર્થ : નિશ્ચયનયને નિયમથી જ સદા ઉચિત પ્રવૃત્તિ વડે અખંડ ગુણસ્થાન ઇષ્ટ છે; જે કારણથી સૂત્રમાં પણ હવે બતાવાશે એ કહેવાયું છે. ટીકાઃ __ अखण्डं गुणस्थानं निरतिचारमिष्टमेतस्य नियमत एव निश्चयनयस्य सदौचित्यप्रवृत्त्या हेतुभूतया, सूत्रेऽपि यत इदं भणितं वक्ष्यमाणमिति गाथार्थः ॥१६६६॥ ટીકાઈ: આનેકનિશ્ચયનયને, નિયમથી જ હેતુભૂત=ચારિત્રવિશુદ્ધિના હેતુભૂત, એવી સદા ઔચિત્યવાળી પ્રવૃત્તિ વડે અખંડ=નિરતિચાર, ગુણસ્થાન ઇષ્ટ છે; જે કારણથી સૂત્રમાં પણ આ=વક્ષ્યમાણ=આગળમાં કહેવાશે એ, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહેલ તે મુજબ નિશ્ચયનય કંદાદિ સેવનારા સાધુમાં ચારિત્ર કેમ સ્વીકારતો નથી ? તે બતાવતાં કહે છે – સંયમવૃદ્ધિના હેતુભૂત એવી સદા ઉચિત પ્રવૃત્તિથી અખંડ ગુણસ્થાનક જ નિશ્ચયનયને મોક્ષના કારણરૂપે ઇષ્ટ છે, અન્ય નહીં. આશય એ છે કે વર્તમાનમાં સાધુઓ બકુશ-કુશીલ ચારિત્રવાળા છે, તોપણ જેઓ ભગવાનના વચનથી ભાવિત છે, અને સતત ભગવાનના વચનના સ્મરણપૂર્વક મોહના ઉમૂલનને અનુકૂળ એવી સદા ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેઓ કાળના દોષને કારણે કે નિમિત્તના દોષને કારણે કોઈ સૂક્ષ્મ પણ સ્કૂલના ન થાય તે માટે ઉચિત યત્ન કરનારા હોય છે, છતાં અનાભોગાદિથી કોઈ સ્કૂલના થઈ જાય તો, તેનાથી વિરુદ્ધ પરિણામો કરીને તે અલનાને દૂર કરે છે. આવા સાધુમાં અખંડ ગુણસ્થાન અર્થાત્ નિરતિચાર ચારિત્ર વર્તે છે; કેમ કે અનાભોગાદિથી થયેલા અતિચારોની શુદ્ધિ તે મહાત્માએ સમ્યફ કરી છે, માટે આવા જ સાધુમાં નિશ્ચયનય અખંડ ચારિત્ર સ્વીકારે છે, અન્યમાં નહીં. ./૧૬૬૬ll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy