SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧પ-૧૬૬૬ ભાવાર્થ : જે મહાત્મા સંસારથી વિરક્ત છે અને સંસારના ઉચ્છદ અર્થે સમભાવના અર્થી છે, તેમ જ સમભાવનો ઉપાય ચારિત્રની ઉચિત ક્રિયાઓ હોવાથી ચારિત્રની ક્રિયાઓ સેવે છે, તેવા મહાત્મા અસંક્લિષ્ટ છે; આમ છતાં આવા અસંક્લિષ્ટ પણ મહાત્મા કોઈક નિમિત્તને પામીને અનાદિ અભ્યાસને વશ કાંદપિકી આદિ ભાવનાઓને ક્યારેક સેવે છે, ત્યારે તે સંક્લિષ્ટ ભાવનાઓના સેવનકાળમાં પણ વ્યવહારનય તે મહાત્મામાં ચારિત્ર સ્વીકારે છે; કેમ કે તે મહાત્મા ચારિત્રના અર્થી છે, તેમ જ ચારિત્રપ્રાપ્તિના ઉપાયરૂપે જ સંયમનું પાલન કરે છે, છતાં કાંદર્ષિકી આદિ ભાવનાના પરિવાર માટે પણ કંઈક યત્ન કરે છે, તેથી અસંમ્પિષ્ટ ચિત્તવાળા છે. વળી નિશ્ચયનય સંયમના વ્યાપારોમાં સુભટની જેમ મોહના ઉન્મેલનને અનુકૂળ યત્નવાળા મહાત્મામાં જ ચારિત્ર સ્વીકારે છે, તેથી આવા પણ મહાત્મા જ્યારે મોહને વશ થઈને અપ્રશસ્ત ભાવનાઓ સેવતા હોય, ત્યારે તેઓ મોહના ઉન્મેલનને અનુકૂળ વ્યાપાર નહીં કરતા હોવાથી નિશ્ચયનય તેઓમાં ચારિત્ર સ્વીકારતો નથી. આમ કહીને ગ્રંથકારશ્રીનું સ્થાપન કરવું છે કે, વ્યવહારનયથી આરાધક પણ સાધુ ક્યારેક કાંદપિકી આદિ ભાવનાઓને સેવ્યા પછી તેની શુદ્ધિ ન કરે તો મરીને કંદાદિ દેવોમાં ઉત્પન્ન થાય છે. માટે ગાથા ૧૯૩૦નું કથન વ્યવહારનયના ચારિત્રને આશ્રયીને છે. આથી જ આવા સાધુમાં આચરણાની અપેક્ષાએ ચારિત્ર હોવા છતાં ભાવથી ચારિત્ર નથી; કેમ કે ભાવથી ચારિત્રવાળા સાધુ તો નિયમા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય, કંદર્પાદિ હલકા દેવોમાં ઉત્પન્ન ન થાય. માટે પૂર્વે કાંદપિકી આદિ ભાવનાઓ સેવી હોય તેવા, વ્યવહારથી ચારિત્ર પાળનારા અને પાછળથી સંવેગ પામેલા સાધુઓ અંતસમયે સંક્લિષ્ટ ભાવનાઓનો વિશેષથી પરિહાર કરે, તો જ તેઓ ગાથા ૧૬૬૩માં બતાવ્યું એ મુજબ તે ભાવનાઓના નિરોધથી સમ્યફચારિત્રને પ્રાપ્ત કરે છે, જેની પ્રાપ્તિથી તેઓ ગાથા ૧૬૬૨માં કહ્યું તેમ દેવદુર્ગતિને અને અનંત સંસારસાગરના પરિભ્રમણને પ્રાપ્ત કરતા નથી. ||૧૬૬પો. અવતરણિકા : एतदेवाह - અવતરણિકાW: આને જ કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે જે અસંક્લિષ્ટ પણ પ્રાણી કંદર્પાદિને સેવે છે, તેમાં વ્યવહારનયથી ચરણ છે, પરંતુ નિશ્ચયનયથી ચરણ નથી. ત્યાં પ્રશ્ન થાય કે નિશ્ચયનયથી ચરણ કેમ નથી? એને જ સ્પષ્ટ કરે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy