SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૫૯-૧૬૬૦ કર્યો તે એક દેશમાં ઉન્માર્ગના સ્વીકારરૂપ છે, જે વચન ભગવાનના વચનથી એક દેશમાં વિપરીત પ્રતિપત્તિરૂપ છે. આવા સાધુઓ માર્ગના વિપ્રતિપન્ન છે, જેનાથી તેઓ સંમોહની ભાવના કરે છે. ૧૬૫૯ અવતરણિકા : मोहमाह - અવતરણિકાર્ય : મોહને કહે છે=મોહના સ્વરૂપને કહે છે – ગાથા : तह तह उवहयमइओ मुज्झइ णाणचरणंतरालेसु । इड्डीओ अ बहुविहा द8 जत्तो तओ मोहो ॥१६६०॥ दारं ॥ અન્વયાર્થ : તદ તદ વેદીમમો તે તે પ્રકારે ઉપહત મતિવાળા (સાધુ) UTUર તરાત્રે સુ-જ્ઞાન-ચરણના અંતરાલોમાં મુ =મુંઝાય છે, વહુવિહાગ રૂમો હું અને બહુવિધ ઋદ્ધિઓને જોઈને નોકજેનાથી (મુંઝાય છે,) તો મોહો એ મોહ છે. ગાથાર્થ : તે તે પ્રકારે ઉપહત મતિવાળા સાધુ જ્ઞાન-ચરણના અંતરાલોમાં મુંઝાય છે, અને બહુ પ્રકારની ત્રાદ્ધિઓને જોઈને જેનાથી મુંઝાય છે, એ મોહ છે. ટીકા : ___तथा तथा चित्ररूपतया उपहतमतिः सन् मुह्यति ज्ञानचरणान्तरालेषु गहनेषु, ऋद्धीश्च बहुविधा दृष्ट्वा परतीथिकानां यतो मुह्यत्यसौ मोह इति गाथार्थः ॥१६६०॥ ટીકાઈ: તે તે પ્રકારે ચિત્રરૂપપણાથી ઉપહત મતિવાળા છતા સાધુ ગહન એવા જ્ઞાન-ચરણના અંતરાલોમાં મુંઝાય છે, અને પરતીર્થિકોની=અન્યદર્શનીઓની, બહુ પ્રકારવાળી ઋદ્ધિઓને જોઈને જેનાથી મુંઝાય છે એ મોહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: કેટલાક સાધુઓ શાસ્ત્રીય પદાર્થો જોવામાં આવ્યુત્પન્ન મતિવાળા હોય છે, છતાં પોતે શાસ્ત્રીય પદાર્થોને યથાર્થ જાણનારા છે તેવો ભ્રમ ધારણ કરે છે. અને તે તે પ્રકારના વિવિધપણાથી તેઓ ઉપહત મતિવાળા હોય છે અર્થાત્ કોઈક સાધુને કોઈક પ્રકારની મતિ હણાયેલી હોય છે, તો અન્ય સાધુને અન્ય કોઈક પ્રકારની મતિ હણાયેલી હોય છે, જેના કારણે ગહન એવા જ્ઞાન અને ચારિત્રના અંતરાલોમાં તેઓ મોહ પામે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy