SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૬૦-૧૬૬૧ અર્થાતુ શાસ્ત્રના પારમાર્થિક રહસ્યોને ગ્રહણ કરવાના વિષયમાં અને ચારિત્રાચારની ક્રિયાઓથી અંતરંગ ભાવો કરવાના વિષયમાં મુંઝાય છે. તેથી તે સાધુ શાસ્ત્રવચનોના સ્થૂલથી અર્થો કરે છે અને ચારિત્રની બાહ્ય આચરણામાત્રમાં ચારિત્રની બુદ્ધિ વહન કરે છે. વળી, કેટલાક સાધુઓ અન્યદર્શનીઓની બહુ પ્રકારની ઋદ્ધિઓમાં મોહ પામે છે અને વિચારે છે કે આ લોકોના દર્શનમાં યોગમાર્ગના સૂક્ષ્મ પદાર્થો હશે, જેથી તે યોગના માહાભ્યરૂપે આમને આ પ્રકારની ઋદ્ધિઓ પ્રાપ્ત થઈ છે, આવા સાધુઓ જૈનશાસનમાં રહેલા ગંભીર યોગમાર્ગના મર્મને પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રકારનો તેઓમાં વર્તતો ભાવ મોહ છે અને તે સ્વગત મોહથી સંમોહની ભાવના કરે છે. ૧૬૬૦. અવતરણિકા: मोहयित्वेति व्याचिख्यासुराह - અવતરણિકાઈ ? જોયિત્વા' એ પ્રકારના દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬૫૬માં સંમોહની ભાવનાના પાંચ દ્વારા બતાવેલ, તેમાંથી હવે “મોહન કરીને” એ પ્રકારના ચરમ દ્વારના સ્વરૂપને ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : जो पुण मोहेइ परं सब्भावेणं च कइअवेणं वा । सायंतरम्मि सो पुण मोहित्ता घेप्पइ अणेण ॥१६६१॥ અન્વયાર્થ: નો પુત્રવળી જે સમાવેof ઋગવેvi વા સમયંતર =સદૂભાવથી અથવા કૈતવથી સમયાંતરમાં પર મહેપરને મોહન કરે છે અન્યને મુંઝવે છે, તો પુતે વળી મોદિત્તા='મોયિતા' (એ પ્રકારના) મUT=આનાથી=ારથી, ઘેuડ્ર=ગ્રહણ કરાય છે. ગાથાર્થ : વળી જે સાધુ સભાવથી કે કૈતવથી સમયાંતરમાં અન્યને મુંઝવે છે, તે વળી “જોયત્વ' એ. પ્રકારના દ્વારથી ગ્રહણ કરાય છે. ટીકાઃ यः पुनर्मोहयति परम् अन्यं प्राणिनं सद्भावेन वा-तथ्येन वा, तथा कैतवेन वा परिकल्पितेन, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy