SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા | કુભાવના | ગાથા ૧૫૧ ૩૪૦. અન્વયાર્થ : ચિં વિહીનો નિત્ય વિગ્રહશીલ, #UT ય પછી મજુતપૂર્વ અને (કલહને) કરીને પાછળથી અનુતાપ કરતો નથી. સ્વામિ યુ=અને ક્ષામિત=અન્ય દ્વારા ખમાવાયેલો, વિર્દ પિ વરાહીui=બંને પણ અપરાધીમાં જ પસી ડ્ર=પ્રસન્ન થતો નથી. ગાથાર્થ : નિત્ય કલહશીલ, અને કલહ કરીને પાછળથી અનુતાપ કરતો નથી. અને અન્ય દ્વારા ખમાવાયેલો બંને પણ અપરાધીમાં પ્રસન્ન થતો નથી. ટીકાઃ नित्यं व्युद्ग्रहशीलः सततं कलहस्वभावः, कृत्वा च कलहं नानुतप्यते पश्चादिति, न च क्षान्तः(?क्षमितः) सन् अपराधिना प्रसीदति-प्रसादं गच्छति अपराधिनोईयोरपि-स्वपक्षपरपक्षगतयोः कषायोदयादेवेत्येषोऽनुबद्धविग्रह इति गाथार्थः ॥१६५१॥ નોંધ: ટીકામાં ક્ષત્તઃ છે તેને સ્થાને બૃહત્કથભાષ્યગાથા પ્રમાણે તેમ જ મૂળગાવ્યા પ્રમાણે ક્ષામતઃ હોવું જોઈએ અને તે પાઠ શુદ્ધ ભાસે છે. ટીકાર્ય: નિત્ય બુટ્ઠહશીલ×સતત કલહના સ્વભાવવાળો, અને કલહને કરીને પાછળથી અનુતાપ કરતો નથી=પશ્ચાત્તાપ કરતો નથી. અને અપરાધી વડે ખમાવાયેલો છતો કષાયના ઉદયથી જ સ્વપક્ષ-પરપક્ષગત બંને પણ અપરાધીમાં પ્રસન્ન થતો નથી=પ્રસાદને પામતો નથી. આ પ્રકારનો આ અનુબદ્ધવિગ્રહવાળો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કલ્યાણ અર્થે સંયમ ગ્રહણ કર્યા પછી પણ કોઈ સાધુમાં ગૃહસ્થાવસ્થામાં સેવેલ સ્વભાવ અનુવૃત્તિરૂપે રહે છે, તેથી કોઈનું સહન નહીં કરવાનો સ્વભાવ જેઓનો હોય, તેઓ હંમેશાં બીજાની પ્રવૃત્તિઓ જોઈને કલહ કરે છે, અને નિમિત્તવશ કલહ થઈ ગયા પછી પણ પશ્ચાત્તાપ કરતા નથી. વળી ક્યારેક સ્વપક્ષ-પરપક્ષગત અપરાધી અર્થાત્ પોતે જે સમુદાયમાં રહેલા હોય તે પક્ષના અપરાધી કે અન્ય સમુદાય સાથે કલહ થયો હોય તે પરપક્ષના અપરાધી, તે સાધુને ખમાવે તોપણ તે સાધુ પ્રસાદ પામતા નથી. આવા પ્રકારના સ્વભાવવાળા સાધુ અનુબદ્ધવિગ્રહવાળા કહેવાય છે, અને તેવા સાધુની પ્રકૃતિ આસુરી વૃત્તિ જેવી હોવાથી તેઓ આસુરી ભાવના કરે છે, જેથી તેઓ અન્ય તપાદિ આચારો પાળતા હોય તોપણ તેઓ અસુર દેવોમાં ઉત્પન્ન થાય છે. ૧૬૫૧il. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy