SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞાકુભાવના | ગાથા ૧૬૪૯-૧૫૦ નોંધ : ટીકામાં પ્રસ્તાનિનો અર્થ પૂતિવલીનિ કર્યો છે તેને સ્થાને તુનિ હોય તેમ ભાસે છે. ટીકાર્થ: ગૌરવના અર્થે=ગૌરવના નિમિત્તે, આ=કૌતુકાદિને, કરતા ઋષિ આભિયોગિકને=અભિયોગના નિમિત્તવાળા કર્મને, બાંધે છે. આ=અભિયોગના નિમિત્તવાળું કર્મ, દેવતાદિના અભિયોગાદિના કૃત્યવાળું છે. અહીં આભિયોગિક કર્મના વિષયમાં, દ્વિતીય છે=અપવાદપદ છેઃ ગૌરવથી રહિત છતા=નિઃસ્પૃહ જ, સાધુ અતિશયજ્ઞાન હોતે છતે આ=કૌતુકાદિને, કરે છે. અને આ રીતે કરતા તે સાધુ, આરાધક છે, વિરાધક નથી, અને ઉચ્ચ ગોત્રને બાંધે છે; કેમ કે તીર્થની ઉન્નતિનું કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વે જે કૌતુકાદિનું સ્વરૂપ બતાવ્યું તે કૌતુકાદિને ઋદ્ધિગારવા માટે કરનારા સાધુ આભિયોગિક કર્મ બાંધે છે. અહીં પ્રશ્ન થાય કે આ આભિયોગિક કર્મ શું છે? તેથી કહે છે કે દેવતા આદિના પ્રેષ્યકર્માદિ વ્યાપાર કરવાના કૃત્યરૂપ આ આભિયોગિક કર્મ છે. આથી આભિયોગિક કર્મ બાંધનાર સાધુ દેવભવમાં જાય તોપણ અન્ય દેવોના કે ઇન્દ્રાદિના પરિચારક દેવ તરીકે તેઓ ઉત્પન્ન થાય છે. વળી કૌતુકાદિ કરવાના વિષયમાં અપવાદ છે – કોઈ નિઃસ્પૃહ સાધુ અતિશયજ્ઞાની હોય તો, ક્યારેક અન્યને ધર્મની પ્રાપ્તિ આદિન નિમિત્તે કૌતુકાદિમાંથી પોતાને જે ઉચિત જણાય તે કૃત્ય કરે, તોપણ તે સાધુ આરાધક છે, વિરાધક નથી, તેમ જ ઉચ્ચ ગોત્ર બાંધે છે. આનાથી એ ફલિત થાય કે ગૌરવ માટે કૌતુકાદિ કરનાર સાધુ તે પ્રકારનું નીચ ગોત્ર બાંધે છે, જેનાથી તેમને દેવભવમાં પણ અન્ય દેવતાના સેવકદેવતા બનવું પડે છે; જ્યારે શાસનની પ્રભાવના માટે અપવાદથી કૌતુકાદિ કરનાર સાધુ તે પ્રકારનું ઉચ્ચ ગોત્ર બાંધે છે, જેનાથી તેમને જન્માંતરમાં વિશેષ પ્રકારના ઉત્તમ કુળાદિની પ્રાપ્તિ થાય છે. ૧૬૪૯. અવતરણિકા : उक्ताऽऽभियोगिकी भावना, साम्प्रतमासुरीमाह - અવતરણિયાર્થ: આભિયોગિકી ભાવના કહેવાઈ, હવે આસુરીને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬ ૨૯માં પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાનાં નામ બતાવેલ, તેમાંથી ગાથા ૧૬૪૩થી ૧૬૪૯માં આભિયોગિકી ભાવનાનું સ્વરૂપ બતાવ્યું, હવે ગાથા ૧૬૫૫ સુધી આસુરી ભાવનાનું સ્વરૂપ બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy