SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞાકુભાવના / ગાથા ૧૯૩૯ હોય તો સર્વ જીવોને પ્રતિબોધ કેમ કરતા નથી ? જો કેવલીને સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ હોય તો બધા જીવોને પ્રતિબોધ કરવો જોઈએ. વળી કેટલાક સાધુ વિચારે કે કેવલી કેટલાક શ્રોતાઓને આશ્રયીને ગંભીર દેશના આપે છે, તો બીજા કેટલાક શ્રોતાઓને આશ્રયીને ગંભીરતા દેશના આપે છે. આ રીતે દેશનાભેદ કરતા હોવાથી કેવલી સમભાવવાળા નથી, પરંતુ પક્ષપાતી છે. વળી કેટલાક સાધુ વિચારે કે કેવલીરૂપે જ્ઞાત થયા પછી કેવલી આહાર લાવી આપવા વગેરે દ્વારા ગુરુની પણ વૈયાવચ્ચ કરતા નથી, તેથી તેઓ અતિનિષ્ઠિત અર્થવાળા છે અર્થાત્ અતિશય પોતાના પ્રયોજનને સાધનારા છે. આ પ્રકારે કેવલીવિષયક બોલવું કે વિચારવું, એ કેવલીનો અવર્ણવાદ છે, જેના દ્વારા સાધુ કૈલ્બિષિકી ભાવનાને કરે છે. આ સર્વનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – અભવ્ય જીવો અને કોરડામગ જેવા ભવ્ય જીવો કોઈનાથી પ્રતિબોધ પામતા નથી; કેમ કે તેમાં પ્રતિબોધ પામવાની યોગ્યતા નહીં હોવાથી તેઓને પ્રતિબોધના ઉપાયનો અભાવ છે, માટે કેવલી સર્વ જીવોને પ્રતિબોધ કરતા નથી; કેમ કે કેવલીને કોઈ જીવ પ્રત્યે પક્ષપાત નથી, સર્વ જીવો ઉપર ઉપકાર કરવાના આશયવાળા છે, છતાં તેઓથી જેઓનો ઉપકાર થઈ શકે તેમ હોય તેઓ પર કેવલી ઉપકાર કરે છે. વળી જીવોમાં પ્રતિબોધ પામવાની યોગ્યતાનો ભેદ હોવાથી તેઓ દેશનાભેદથી ઉપદેશ આપે છે. આશય એ છે કે જે જીવોને ગંભીર દેશનાથી ઉપકાર થાય તેમ હોય તેઓને ગંભીર દેશનાથી ઉપદેશ આપે છે, જે જીવોને ગંભીરતર દેશનાથી લાભ થાય તેમ હોય તેઓને ગંભીરતર દેશનાથી ઉપદેશ આપે છે, પરંતુ પક્ષપાતને કારણે કે પોતાની પ્રતિભા બતાવવા અર્થે કેવલી દેશનાભેદથી ઉપદેશ આપતા નથી. અહીં કહ્યું કે “કેવલી ગંભીર-ગંભીરતર દેશનાભેદથી ઉપદેશ આપે છે,” એનાથી એ પ્રાપ્ત થાય કે શ્રોતાને પોતાની યોગ્યતાઅનુસાર મોક્ષમાર્ગનાં રહસ્યોની પ્રાપ્તિ થાય તેવી દેશના આપવી તે ગંભીર દેશના કહેવાય, પરંતુ શ્રોતાને માત્ર સામાન્ય વસ્તુનો બોધ થાય તેવી દેશના ગંભીર દેશના કહેવાય નહીં. જેમ ઉપદેશક જિનવચનાનુસાર કરાતી સંયમની ક્રિયાઓ કઈ કઈ રીતે અસંગભાવ સાથે જોડાયેલી છે ? તેના પરમાર્થનો શ્રોતાના ક્ષયોપશમને અનુરૂપ બોધ કરાવે, જેથી શ્રોતાને ભગવાનના વચનના ગાંભીર્યની પ્રાપ્તિ થાય. વળી દરેક નયવાદ એક પદાર્થ સાથે કઈ રીતે જોડાય છે? તેનો ઊંડાણથી બોધ થાય તેવી દેશના આપવી તે ગંભીરતા દેશના કહેવાય, જે દેશનાથી તે પટ્પ્રજ્ઞાવાળો શ્રોતા દરેક નયને ઉચિત સ્થાને યોજન કરી શકે અને યોજન કરીને તે તે નયને અવલંબીને કરાતી પ્રવૃત્તિથી યોગમાર્ગ પામીને પોતાની ભૂમિકા અનુસાર યોગમાર્ગને સેવીને આત્મહિત સાધી શકે. વળી કેવલી નિષ્ઠિત અર્થવાળા હોવાને કારણે પોતાના ગુરુ કરતાં અધિક ગુણવાળા છે; કેમ કે ગુરુને મોહનો નાશ કરીને વીતરાગ-સર્વજ્ઞ બનવારૂપ પ્રયોજન સાધવાનું બાકી છે, જયારે કેવલીને કોઈ પ્રયોજન સાધવાનું બાકી નથી. આથી કેવલી ગુરુની વૈયાવચ્ચ કરતા નથી, એમ કહીને કેવલીનો અવર્ણવાદ કરવો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy