SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૩૮-૧૮૩૯ પ્રમાદોનું અને તેનાથી વિપરીત એવા અપ્રમાદોનું ફરી ફરી વર્ણન કરવું એ પણ પુનરુક્તિદોષરૂપ છે. આ પ્રમાણે જે સાધુ બોલે છે કે વિચારે છે, તે સાધુ જ્ઞાનના અવર્ણવાદ દ્વારા કૅલ્બિષિકી ભાવના કરે છે. વસ્તુતઃ આગમો સર્વજ્ઞના વચનને અવલંબીને ગણધરોએ રચ્યાં છે, અને જીવો પર ઉપકાર કરવાના આશયથી તેઓએ આગમમાં કેટલાંક કથનો ઉપાધિના ભેદથી અર્થાત જુદા જુદા સંદર્ભથી, ફરી ફરી કહેલાં છે, જેથી જીવો તે તે સંદર્ભ અનુસારે પૃથ્વીકાયાદિનો અને વ્રતોનો બોધ કરીને પદ્ધયના રક્ષણમાં અને મહાવ્રતોના પાલનમાં અપ્રમાદભાવથી ઉદ્યમ કરે અને પકાયાદિની વિરાધના ન કરે. વળી કેટલાક સાધુઓ આગમમાં આવતા જયોતિષશાસ્ત્ર અને યોનિપ્રાભૃતાદિનું વર્ણન સાંભળીને વિચારે કે સાધુઓ મોક્ષના અધિકારી છે, તેથી તેમને જયોતિષશાસ્ત્ર અને યોનિપ્રાભૃતાદિનું વર્ણન જેમાં આવતું હોય તેવાં આગમોનું શું પ્રયોજન છે?; કેમ કે જ્યોતિષશાસ્ત્રાદિ જાણીને તેનો સંસારની વૃદ્ધિમાં ઉપયોગ થાય છે, માટે તેનું વર્ણન શાસ્ત્રમાં નિરર્થક કરેલ છે. આમ બોલીને કે વિચારીને જેઓ જ્ઞાનનો અવર્ણવાદ કરે છે તેઓ કૈલ્બિષિકી ભાવના કરે છે. વસ્તુતઃ શિષ્યને પ્રવ્રયા આપતી વખતે કે શિષ્યોનું પાલન કરવા માટે ઉચિત મુહૂર્નાદિ જાણવામાં જ્યોતિષશાસ્ત્રાદિનું જ્ઞાન ઉપયોગી છે, માટે આગમમાં આવતું જ્યોતિષશાસ્ત્રાદિનું વર્ણન દુષ્ટ નથી, એમ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું જોઈએ. આ પ્રકારનો પરમાર્થ જાણ્યા વગર પોતાની દુર્બળ મતિથી શ્રુતજ્ઞાનવિષયક મિથ્યા વિકલ્પો કરીને જેઓ જ્ઞાનનો અવર્ણવાદ કરે છે, તેઓ પોતાના આત્માને કૈલ્બિષિકી ભાવનાથી વાસિત કરે છે. /૧૬૩૮ અવતરણિકા: केवल्यवर्णमाह - અવતરણિકાર્ય : કેવલીના અવર્ણને કહે છે – ભાવાર્થ : કૈલ્બિષિકી ભાવના કરનારા સાધુ દ્વારા કરાતા કેવલીના અવર્ણનું સ્વરૂપ બતાવે છે – ગાથા : सव्वे वि ण पडिबोहइ ण याविसेसेण देइ उवएसं । पडितप्पड़ ण गुरूण वि णाओ अइणिट्टिअट्ठो उ ॥१६३९॥ दारं ॥ અન્વયાર્થ : (કેવલી) બે વિ દિવોદ=સર્વને પણ પ્રતિબોધતા નથી, વિરેસે ય ફેવસિં -અને અવિશેષથી સર્વ જીવોને સમાનતાથી, ઉપદેશ આપતા નથી. ગુરૂાવિ પતિપ્રજ્ઞાત કેવલીરૂપે જણાયેલા કેવલી, ગુરુને પણ તૃપ્ત કરતા નથી. અકિકો =અતિનિષ્ઠિત અર્થવાળા જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy