SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક / અભ્યુત મરણ / ભક્તપરિજ્ઞા | કુભાવના | ગાથા ૧૬૩૪ ટીકાઃ भाषते द्रुतं द्रुतमसमीक्ष्य सम्भ्रमावेगाद्, गच्छति च द्रुतं द्रुतमेव, दपित इव= दर्पोद्धुर इव गोवृषभो= बलीवर्द्दविशेषः शरदि काले, तथा सर्वद्रुतकारी असमीक्ष्यकारीतियावत्, तथा स्फुटतीव तीव्रोद्रेकविशेषात् स्थितोऽपि सन् दर्पेण कुत्सितबलरूपेण, य इत्थम्भूतः स द्रुतदर्प्पशील इति गाथार्थः Io૬૩૪૫ ટીકાર્ય (૧) સંભ્રમના આવેગથી નહીં વિચારીને જલદી જલદી બોલે છે, જે આવા પ્રકારના છે તે દ્રુતદર્પશીલ છે, એમ અન્વય છે. (૨) અને શરદ કાળમાં દર્પિત=દર્પથી ઉદ્ગુર, ગોવૃષભ=બળવિશેષની જેમ જલદી જલદી જ જાય છે, જે આવા પ્રકારના છે તે દ્રુતદર્પશીલ છે, એમ અન્વય છે. (૩) અને સર્વ વ્રુતકારી= સંયમજીવનની સર્વ ક્રિયાઓ જલદી કરનાર=નહીં વિચારીને કરનાર, જે આવા પ્રકારનો છે તે દ્રુતદર્પશીલ છે, એમ અન્વય છે. (૪) અને સ્પષ્ટની જેમ તીવ્ર ઉદ્રેકવિશેષથી કુત્સિત બળરૂપ દર્પ વડે રહેલા પણ છતા, આવા પ્રકારના જે છે, તે દ્રુતદર્પશીલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: કાંદર્પી ભાવના કરતી વખતે દ્રુતદર્પશીલની ચેષ્ટા કરનારા સાધુ ચાર પ્રકારે હોય છે : (૧) જેઓ સંભ્રમના આવેગથી વિચાર્યા વગર શીઘ્ર શીઘ્ર બોલે છે તેઓ દ્રુતદર્પ સ્વભાવવાળા છે. આશય એ છે કે સાધુ ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા હોય છે અને સંયમવૃદ્ધિનું પ્રયોજન હોય તો જ સંયમને ઉપકારક બને એટલું જ ઉચિત સંભાષણ કરનારા હોય છે; છતાં જેઓ બોલવાના વિષયમાં શું ઉચિત અને શું અનુચિત ? તેના વિષયમાં સંભ્રમવાળા હોય, તેઓ જો સંભ્રમના વશથી નિમિત્ત પ્રમાણે હૈયામાં જે ઊઠે તે પ્રમાણે વચનપ્રયોગ કરે તો તે સાધુ વ્રુતદર્પશીલની ચેષ્ટા કરે છે. ૩૨૧ (૨) શરદઋતુમાં હૃષ્ટ-પુષ્ટ થયેલો આખલો જેમ મદથી જલદી જલદી ચાલતો હોય છે, તેમ જે સાધુ સંયમજીવનમાં જલદી જલદી ચાલવાના સ્વભાવવાળા હોય, તેઓ દ્રુતદર્પશીલની ચેષ્ટા કરે છે. (૩) વળી કેટલાક સાધુઓ સંયમજીવનની સર્વ પ્રવૃત્તિઓ વિચાર્યા વગર જલદી જલદી કરે છે, પરંતુ વીતરાગવચનનું સ્મરણ કરીને વિધિપૂર્વક કાયિક-વાચિક-માનસિક યત્ન કરીને સંયમની પ્રવૃત્તિઓ કરતા નથી, તેઓ પણ દ્રુતદર્પશીલની ચેષ્ટા કરે છે. (૪) વળી કેટલાક સાધુઓ માનકષાયના વશથી સ્પષ્ટની જેમ ખરાબ બળરૂપ દર્પથી રહેલા હોય છે. આશય એ છે કે કેટલાક સાધુઓ પોતે ત્વરાવાળા ન હોય, સ્વભાવસ્થ રહેલા હોય, છતાં બીજાને સર્વ પ્રવૃત્તિ ત્વરાથી કરતા જોઈને “અમે સર્વ પ્રવૃત્તિ શાંતિથી કરીએ છીએ” એ પ્રકારના દર્પને ધારણ કરે છે. વસ્તુતઃ તેઓની શાંતિથી કરાતી પ્રવૃત્તિ પણ જિનવચનાનુસાર વિધિના સ્મરણથી નિયંત્રિત હોતી નથી; કેમ કે જો તે સાધુ જિનવચનથી નિયંત્રિત થઈને સ્વસ્થતાપૂર્વક સંયમની ક્રિયાઓ કરતા હોય, તો બીજાની ઉતાવળી પ્રવૃત્તિઓ જોઈને પોતાને દર્પ થાય નહીં, પરંતુ એમ થાય કે “હું શું કરું કે જેથી આ ઉતાવળી પ્રવૃત્તિ કરનારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy