SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૯૩૨ ૩૧૦ ગાથાર્થ : ખડખડાટ હસવું, પોતાને અનુરૂપ સાધુ સાથે પરિહાસ કરવો, અનિદ્ભુત સંલાપો કરવા, કંદર્પકથા કહેવી, કંદર્પનો ઉપદેશ આપવો અને આ સર્વની પ્રશંસા કરવી. ટીકા? __कन्दर्पवान् कान्दी भावनां करोतीत्युक्तं, स च यस्य, कहकहकहस्येति सुपां सुपो भवन्तीति तृतीयार्थे षष्ठी, कहकहकहेन हसनं अट्टहास इत्यर्थः, तथा कन्दर्पः परिहासः स्वानुरूपेण, अनिभृताश्च संलापाः गुदिनापि निष्ठरवक्रोक्त्यादयः, तथा कन्दर्पकथाकथनं कामकथाग्रहः, तथा कन्दर्पोपदेशो विधानद्वारेण ‘एवं कुरु' इति, शंसा च-प्रशंसा च कन्दर्पविषया यस्य स कन्दर्पवान् ज्ञेय इति गाथार्थः ટીકાર્ય : વર્ષ .... યુ, “કંદર્પવાળો કાંદર્પ ભાવનાને કરે છે એ પ્રમાણે કહેવાયું=ગાથા ૧૯૩૧માં કહેવાયું. વહવદ... પછી, “દેહદ' એ પ્રકારના શબ્દમાં ‘સુપ મવત્તિ' એ પ્રકારના ન્યાયથી તૃતીયા વિભક્તિના અર્થમાં ષષ્ઠી વિભક્તિ છે, માટે “ વહાદેન' એ પ્રકારે સમજવું. યસ્થ વદન હસનં “વં રુ' તિ, (૧) અને જેને=જે સાધુને, કહકહકહથી હસન છે=અટ્ટહાસ્ય છે, (૨) તથા કંદર્પ છે=સ્વના અનુરૂપ સાથે પરિહાસ છે–પોતાને અનુરૂપ પ્રકૃતિવાળા સાધુ સાથે કોઈ અન્ય વ્યક્તિનો ઉપહાસ છે, (૩) અને ગુરુ આદિ સાથે પણ નિષ્ફર-વક્ર ઉક્તિ આદિરૂપ અનિદ્ભુત સંલાપો છે=વડીલો સાથે પણ કઠોર વચનો અને કટાક્ષ વચનો બોલવા આરિરૂપ અસુંદર આલાપો છે, (૪) તથા કંદર્પકથાનું કથન છે =કામકથાનું ગ્રહણ છે, (૫) તથા “આમ કર” એ પ્રકારે વિધાન દ્વારથી સાવદ્યનું વિધાન કરવા દ્વારા, કંદર્પનો ઉપદેશ છે, =તે સાધુ શંસા ૪ થાર્થ અને શંસા=કંદર્પના વિષયવાળી પ્રશંસા, છે જેને તે કંદર્પવાળા જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કાંદર્પ ભાવના કરતી વખતે કઈ કઈ કંદર્પની ચેષ્ટા કરનારા સાધુ કંદર્પવાળા છે? તે બતાવે છે – સામાન્યથી ગુણસ્થાનકમાં વર્તતા સાધુને સતત વીતરાગનું તેમજ વીતરાગના વચનનું સ્મરણ વર્તતું હોય છે અને વીતરાગના વચન અનુસાર જ તેઓ સર્વ સંયમની ક્રિયાઓ કરતા હોય છે, તેથી તે મહાત્મા વીતરાગતાનું બીજ ન બનતી હોય તેવી મન-વચન-કાયાની ચેષ્ટાઓ કરતા નથી; આમ છતાં ક્યારેક આરાધક પણ સાધુ પ્રમાદવશ થઈને નિમિત્તો પ્રમાણે ભાવો કરે તો કાંદર્પ ભાવના થવાનો સંભવ રહે છે. વળી જેઓ સાધુપણામાં શિથિલ પરિણામવાળા છે, તેઓ તો પોતાને જે પ્રકારે ભવપ્રત્યયિકી પ્રકૃતિ મળી હોય તે પ્રકારની ચેષ્ટા કરનારા હોય છે. તેથી તેઓ સંયમની ક્રિયાઓ કરતા હોય તોપણ, પોતાની પ્રકૃતિ અનુસાર કાંદર્પ ભાવનામાં વર્તતા હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy