SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ લેખનાવતુક | અભ્યધત મરણ | ઈંગિનીમરણ અનશન | ગાથા ૧૬૨૪-૧૬૨૫, ૧૬૨૬ ૩૦૯ प्रत्याख्याति आहारम् अशनादि चतुर्विधं नियमतो, न त्रिविधं, गुरुसमीपे, इङ्गितदेशे तथा परिमितां चेष्टामपीङ्गितां करोतीति गाथार्थः ॥१६२५॥ ટીકાર્ય : ઇંગિતમરણનું વિધાન આ છે=ઈંગિત મરણ અનશન સ્વીકારવાની વિધિ હવે બતાવે છે એ છે – આ પ્રવ્રજ્યા જ=પ્રવજ્યાના કાળથી આરંભીને, વિકટનાને કરીને=આલોચનાને કરીને, અને યથાસમાધિ યથાકાળ દ્રવ્યથી અને ભાવથી સંલેખનાને કરીને, ગુરુની સમીપમાં નિયમથી અશનાદિરૂપ ચતુર્વિધ આહારનું પચ્ચકખાણ કરે છે, ત્રિવિધને નહીં=ત્રિવિધ આહારનું પચ્ચકખાણ કરતા નથી. ઇંગિત દેશમાં ઇંગિત એવી–નિયત એવી, તે પ્રકારની પરિમિત, ચેષ્ટાને પણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઇંગિતમરણ અનશન કરવા તત્પર થયેલા મહાત્મા પ્રવ્રયાગ્રહણના કાળથી માંડીને અત્યાર સુધીના સંયમજીવનમાં જે કોઈ સ્કૂલના પામ્યા હોય તે સર્વને સ્મૃતિમાં લાવીને ગુરુ પાસે આલોચના કરે છે, ત્યારપછી પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે સંલેખના કરે છે. વળી તે સંલેખના પૂર્વે ઉત્કૃષ્ટથી બાર વર્ષની બતાવેલ, તેમાંથી ઇંગિતમરણ અનશન કરનારા મહાત્મા પોતાની સમાધિ અનુસારે ઉચિત કાળની મર્યાદાથી કરે છે, તેમ જ તે સંલેખનકાળમાં તપથી દેહને કૃશ કરે છે અને પૂર્વમાં બતાવી એ ભૂતાર્થની ભાવનાથી અને સૂક્ષમ ભાવોની ભાવનાથી આત્માને વાસિત કરે છે, જેથી કષાય અત્યંત કૃશ થાય. આ રીતે સંલેખના કર્યા પછી તે મહાત્મા ગુરુ પાસે નિયમથી ચારેય પ્રકારના આહારનું પચ્ચકખાણ ગ્રહણ કરે છે અને ત્યારપછી ઇંગિત અનશન માટે નક્કી કરેલા પ્રદેશમાં જઈને નક્કી કરેલી પરિમિત ચેષ્ટાને કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઇંગિતમરણ અનશન સ્વીકાર્યા પછી મહાત્મા એક અવસ્થામાં રહીને ધર્મધ્યાનાદિમાં ઉદ્યમ કરે છે, છતાં જ્યારે એક અવસ્થામાં રહેવાથી ધર્મધ્યાનાદિનો વ્યાપાર કરવો અશક્ય જણાય ત્યારે તેઓ કાયાની કંઈક ચેષ્ટા પણ કરે છે, જેથી ધર્મધ્યાનાદિવિષયક વ્યાપાર શિથિલતા ન પામે. /૧૬૨૪/૧૬૨પા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ઇંગિતમરણ અનશન સ્વીકારનારા મહાત્મા ઇંગિત એવી પરિમિત ચેષ્ટાને કરે છે. તેથી હવે તે ઇંગિત એવી પરિમિત ચેષ્ટાને જ સ્પષ્ટ કરે છે – ગાથા : उव्वत्तइ परिअत्तइ काइअमाईसु होइ उ विभासा । किच्चं पि अप्पण च्चिअ जुंजइ नियमेण धिइबलिओ ॥१६२६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy