SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ પાદપગમન અનશન / ગાથા ૧૬૧૮-૧૬૧૯ ૩૦૩ ટીકા? सर्वत्राप्रतिबद्धः समभावात् दण्डायतादिस्थानमिह स्थित्वा स्थण्डिले यावज्जीवं तिष्ठति महात्मा निश्चेष्टः पादपसमानः उन्मेषाद्यभावादिति गाथार्थः ॥१६१८॥ ટીકાર્ય : સમભાવ હોવાથી સર્વત્ર અપ્રતિબદ્ધ મહાત્મા અહીં=સ્થડિલમાંકગિરિકંદરની શુદ્ધભૂમિમાં, દંડઆયાદિ સ્થાનને વિષે રહીને=દંડની જેમ ઊભા રહેવું કે લાંબા થઈને સૂઈ જવું વગેરેમાંથી કોઈ એક સ્થિતિથી સ્થિર થઈને, યાવજીવ=મરણ થાય ત્યાં સુધી, ઉન્મેષાદિના અભાવથી પાદપની સમાન નિશ્ચષ્ટ રહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પાદપોપગમન અનશન કરનારા મહાત્મા સમભાવના પરિણામથી અત્યંત ભાવિત હોવાથી તેઓનું ચિત્ત જગતના કોઈ પદાર્થ સાથે સંશ્લેષ પામતું નથી, તેથી તેઓ સર્વત્ર અપ્રતિબદ્ધ હોય છે. તેથી જ અનશનકાળમાં દીર્ઘ કાળ સુધી એક સ્થિતિમાં રહેવાને કારણે થતી પીડા પ્રત્યે પણ તેઓનું ચિત્ત સંશ્લેષ પામતું નથી, પરંતુ તેઓનું ચિત્ત ધર્મધ્યાનાદિમાં પ્રતિબદ્ધ રહે છે. આવા પ્રકારના સર્વત્ર અપ્રતિબદ્ધ તે મહાત્મા ગિરિકંદરમાં જ કોઈક શુદ્ધ ભૂમિમાં પોતાની શક્તિ અનુસાર દંડ અવસ્થામાં કે આયત અવસ્થામાં કે અન્ય કોઈપણ અવસ્થામાં આંખના ઉન્મેષ-નિમેષાદિરૂપ કોઈપણ પ્રકારની દેહચેષ્ટા કર્યા વગર વૃક્ષની જેમ નિશ્રેષ્ટ થઈને જાવજીવ સુધી રહે છે. આવા પ્રકારના દઢ વ્યાપારને કારણે દેહના વિષમ સંયોગોમાં પણ તેઓનું ચિત્ત ભગવાનના વચનાનુસાર શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપ સાથે પ્રતિબંધવાળું રહે છે, પરંતુ દેહને થતી પીડા સાથે કે અન્ય કોઈપણ ભાવો સાથે પ્રતિબંધવાળું બનતું નથી. ૧૬૧૮ ગાથા : पढमिल्लुगसंघयणे महाणुभावा करिति एवमिणं । पायं सुहभाव च्चिअ णिच्चलपयकारणं परमं ॥१६१९॥ અવયાર્થ : વં આ પ્રકારે પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રકારે, પર ભવ્યતાવાર રૂપ પરમ નિશ્ચલપદનું કારણ એવું આ=પાદપોપગમનરૂપ અનશન, પાચં સુરમાવ નિ મહાગુમાવા=પ્રાય: શુભભાવવાળા જ મહાનુભાવો પઢમહુસંધયો તિ=પ્રથમ સંઘયણમાં કરે છે. ગાથાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રકારે પરમ નિશ્ચલપદનું કારણ એવું પાદપોપગમનારૂપ અનશન પ્રાયઃ શુભભાવવાળા જ મહાનુભાવો પ્રથમ સંઘયણમાં કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy