SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ | પાદપગમન અનશન / ગાથા ૧૬૧૩, ૧૬૧૪ થી ૧૬૧૦ તે આત્મા જન્માંતરમાં પણ ઉત્તમ ભાવોના સંસ્કારો લઈને જાય છે, જે સંસ્કારોના બળથી ફરી તે મહાત્માને તે ભવમાં ઉત્તમ ભાવોની પ્રાપ્તિ થાય છે અને એ જ બોધિનો લાભ છે. માટે બોધિની પ્રાપ્તિના અર્થી જીવોએ અત્યંત સુપ્રણિધાનપૂર્વક ભગવાનના વચનથી આત્માને ભાવિત કરવો જોઈએ, તેમ જ મરણકાળમાં વિશેષથી આત્માને શુભભાવથી અત્યંત ભાવિત કરવો જોઈએ, જેથી તે સંસ્કારોથી યુક્ત આત્મા ફરી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરીને સંસારના ઉચ્છેદનો યત્ન કરે. * પ્રસ્તુતમાં વાસિત તલના તેલના દૃષ્ટાંતની દાષ્ટબ્લિક સાથે યોજના આ પ્રમાણે :દષ્ટાંત દાન્તિક (૧) તેલથી યુક્ત એવા તલ – આત્માથી યુક્ત એવો દેહ. જેમ તલમાં તેલ રહે છે, તેમ દેહમાં આત્મા રહે છે. ' (૨) તેલમાં સુગંધી પદાર્થોની વાસના -આત્મામાં શુભ એવા મન-વચન-કાયાના યોગોથી થયેલ વાસના. જેમ તેલ સુગંધી પદાર્થોથી વાસિત થાય છે, તેમ આ ભવમાં દેહધારી આત્મા શુભ મન-વચનકાયાના યોગોથી વાસિત થાય છે. (૩) વાસિત એવા તલમાંથી છૂટું પડેલું વાસિત એવા આત્માયુક્ત દેહમાંથી છૂટો પડેલો વાસિત તેલ વાસિત આત્મા. જેમ તલને કપૂર વગેરે સુગંધી દ્રવ્યો સાથે રાખવામાં આવે તો, તે કપૂરાદિ દ્રવ્યોથી ભાવિત થયેલા તલમાંથી કાઢેલું તેલ પણ તે કપૂરાદિ દ્રવ્યોની સુગંધવાળું થાય છે; તેમ આ ભવમાં દેહવાળા આત્માને શુભ મનોયોગાદિથી ભાવિત કરવામાં આવે તો, તે શુભભાવોથી ભાવિત થયેલો આ ભવનો દેહયુક્ત આત્મા મૃત્યુ વખતે આ ભવના દેહથી પૃથર્ થાય તોપણ અન્ય ભવમાં શુભભાવોના સંસ્કારોવાળો રહે છે. ll૧૬૧all અવતરણિકા : ગાથા ૧૫૭પથી સંલેખનાનું સ્વરૂપ બતાવવાનો પ્રારંભ કર્યો. તેમાં દેહની અને આત્માની સંખના સ્વરૂપ દ્રવ્યસંલેખના અને ભાવસંખના કરવાની વિધિ બતાવી. તે રીતે સંખના કર્યા પછી અભ્યઘત મરણ સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા શું કરે છે? તે બતાવે છે – ગાથા : संलिहिऊणऽप्पाणं एवं पच्चप्पिणित्तु फलगाई । गुरुमाइए अ सम्म खमाविउं भावसुद्धीए ॥१६१४॥ उववूहिऊण सेसे पडिबद्धे तंमि तह विसेसेणं । धम्मे उज्जमिअव्वं संजोगा इह विओगंता ॥१६१५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy