SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના / ગાથા ૧૬૧૨-૧૬૧૩ થવા છતાં પણ તે શુભ ભાવોના સંસ્કારોથી યુક્ત મહાત્મામાં અવશ્ય તત્ત્વ પ્રત્યેનો તીવ્ર પક્ષપાત સંસ્કારરૂપે રહે છે, જેથી તે મહાત્માને ભવાંતરમાં પણ વર્તમાનમાં કરેલા શુભ ભાવોને અનુરૂપ જિનધર્મની બોધિ પ્રાપ્ત થાય છે. ૧૬૧રો ગાથા : एसेव बोहिलाभो सुहभावबलेण जो उ जीवस्स । पेच्चा वि सुहो भावो वासिअतिलतिल्लनाएणं ॥१६१३॥ અન્વયાર્થ : વાણિતિતિજના વાસિત એવા તલના તેલના જ્ઞાતથી ગીવર્સજીવને સુમાવવત્તે શુભભાવના બળથી નોડ્યા વિ જુદો માવો=જે જ પ્રેત્ય પણ=પરલોકમાં પણ, શુભભાવ થાય છે, સેવ વોહિત્રામ= એ જ બોધિનો લાભ છે. ગાથાર્થ : વાસિત એવા તલના તેલના દષ્ટાંતથી જીવને શુભભાવના બળથી જે જ પરલોકમાં પણ શુભભાવ થાય છે, એ જ બોધિની પ્રાપ્તિ છે. ટીકા : ___ एष एव बोधिलाभो वर्त्तते, शुभभावबलेन-वासनासामर्थ्याद्, य एव जीवस्य प्रेत्यापि-जन्मान्तरेऽपि शुभभावो भवति, वासिततिलतैलज्ञातेन, तेषां हि तैलमपि सुगन्धि भवतीति गाथार्थः ॥१६१३॥ ટીકાર્ય : શુભભાવના બળથી=વાસનાના સામર્થ્યથી, જે જ જન્માંતરમાં પણ જીવને શુભભાવ થાય છે, આ જ વાસિત તલના તેલના જ્ઞાતથી બોધિનો લાભ વર્તે છે. દષ્ટાંત સ્પષ્ટ કરે છે – ખરેખર તેઓનું કોઈક પદાર્થથી વાસિત થયેલ તલોનું, તેલ પણ સુગંધવાળું થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે શુભભાવ દ્વારા અતિશય ભાવિત થયેલો જીવ જન્માંતરમાં પણ શુભભાવથી યુક્ત જ થાય છે. એ કથનનો જિનધર્મની બોધિની પ્રાપ્તિ સાથે શું સંબંધ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે કે સંલેખના કરનારા મહાત્માને શુભભાવના બળથી આત્મા પર જે શુભભાવની વાસનાનું આધાન થાય છે, તેના સામર્થ્યથી જન્માંતરમાં પણ ફરી જે શુભભાવો પ્રાપ્ત થાય છે, એ જ બોધિનો લાભ છે, તે સિવાય અન્ય કોઈ બોધિનો લાભ નથી. જેમ કોઈક સુગંધી પદાર્થથી વાસિત થયેલા તલમાંથી તેલ કાઢવામાં આવે, તો તે તેલ પણ સુગંધી બને છે; તેમ આ ભવમાં શુભ મન-વચન-કાયાના યોગોથી વાસિત થયેલો આત્મા દેહથી પૃથગુ થાય તોપણ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy