SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના / ગાથા ૧૬૧૨ ૨૯. અવતરણિકા: एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે સંવેગભાવનાથી યુક્ત એવા મહાત્મા અન્ય જન્મમાં જિનધર્મની બોધિને પ્રાપ્ત કરે છે, એને જ સ્પષ્ટ કરવા માટે કહે છે – ગાથા : जमिह सुहभावणाए अइसयभावेण भाविओ जीवो । जम्मंतरे वि जायइ एवंविहभावजुत्तो उ ॥१६१२॥ અન્વયાર્થ : i=જે કારણથી ફકઅહીં=આ જન્મમાં, સુમાવUID=શુભ ભાવના દ્વારા ફરમાવે ભાવિયો નીવો=અતિશય ભાવથી ભાવિત જીવ નખંતરે વિકજન્માંતરમાં પણ વંવિદમાવનુત્તો આવા પ્રકારના ભાવથી યુક્ત જ ના થાય છે. (તે કારણથી સંવેગભાવનાથી યુક્ત મહાત્મા જિનધર્મની બોધિને પ્રાપ્ત કરે છે, એમ પૂર્વગાથા સાથે અન્વય છે.) ગાથાર્થ : જે કારણથી આ જન્મમાં શુભ ભાવના દ્વારા અતિશય ભાવથી ભાવિત જીવ જન્માંતરમાં પણ આવા પ્રકારના ભાવથી યુક્ત જ થાય છે. તે કારણથી સંવેગભાવનાથી યુક્ત મહાત્મા જિનધર્મની બોધિને પ્રાપ્ત કરે છે. ટીકા : ___ यत्-यस्मादिह शुभभावनयाऽतिशयभावेन भावितो जीवः सुवासित इत्यर्थः जन्मान्तरेऽपि-अन्यत्र जायते एवंविधभावयुक्त एव-शुभभावयुक्त इति गाथार्थः ॥१६१२॥ ટીકાર્થ : જે કારણથી અહીં-આ જન્મમાં, શુભ ભાવના દ્વારા અતિશય ભાવથી ભાવિત=સુવાસિત, જીવ જન્માંતરમાં પણ=અન્યત્ર પણ=બીજા ભવમાં પણ, આવા પ્રકારના ભાવથી યુક્ત જ=શુભભાવથી યુક્ત જ, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંલેખના કરનારા મહાત્મા અંતસમયે શુભ ભાવના દ્વારા જે અતિશયવાળા ભાવો કરે છે, તેનાથી ભાવિત થયેલો તેમનો આત્મા તત્ત્વજ્ઞાનના સંસ્કારોથી સુવાસિત બને છે, જે સંસ્કારો તે મહાત્માને અન્ય જન્મમાં પણ ઉત્તમ ભાવોથી યુક્ત બનાવે છે, જેના કારણે અન્ય જન્મમાં દેવભવકૃત અવિરતિની પ્રાપ્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy