SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવતુક | અભ્યધત મરણ / ભાવસંલેખના/ ગાથા ૧૬૧૦-૧૬૧૧ ૨૯૫ અન્વયાર્થ : ઇવ =અને આ રીતે માવIT=ભાવનાથી યાડ્રિ-ક્યારેક વસવિરિપરિમો લોકઉલ્લસિત વીર્યપરિણામવાળા તે=સંલેખના કરનાર મહાત્મા, ઢિ વનં=શ્રેણિને (અને) કેવલને પાવ=પ્રાપ્ત કરે છે. વ મ =આ રીતે મરેલા પુછો છો પર ફરી મરતા નથી. ગાથાર્થ : અને આ રીતે ભાવનાથી ક્યારેક ઉલ્લસિત વીર્યપરિણામવાળા સંલેખના કરનાર મહાત્મા શ્રેણિને અને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ રીતે મરેલા ફરી મરતા નથી. ટીકા : ___ स चैवं भावनातः सकाशात् कदाचिदुल्लसितवीर्यपरिणामः सन् प्राप्नोति श्रेणिं तथा केवलं, एवं मृतः केवलाप्त्या न पुनर्मियते कदाचिदपीति गाथार्थः ॥१६१०॥ ટીકાર્ય અને આ રીતે=ગાથા ૧૫૯૫થી ૧૬૦૪ સુધી ભૂતાર્થની ભાવના બતાવી અને ગાથા ૧૬૦૫થી ૧૬૦૯ સુધી સૂમ ભાવોની ભાવના બતાવી એ રીતે, ભાવનાથી ક્યારેક ઉલ્લસિત વિર્યપરિણામવાળા છતા તે મહાત્મા શ્રેણિને તથા કેવલન=ક્ષપકશ્રેણીને અને કેવળજ્ઞાનને, પ્રાપ્ત કરે છે. આ રીતે કેવલની આપ્તિથી= કેવળજ્ઞાનની પ્રાપ્તિથી, મરેલા મહાત્મા ફરી ક્યારેય પણ મરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં ભાવનાઓ બતાવી તે પ્રકારે સૂક્ષ્મ ઉપયોગપૂર્વક ભાવન કરવાથી, સંસારના પારમાર્થિક સ્વરૂપથી, સંયમના પારમાર્થિક સ્વરૂપથી અને સંયમ કઈ રીતે સંસારના અંતનું કારણ બને છે ? તેના પારમાર્થિક સ્વરૂપથી ભાવિત થયેલા તે મહાત્માનું વીર્ય ઉલ્લાસ પામે તો, સંસારના અંતનું કારણ એવો અસંગભાવ વૃદ્ધિ પામે છે, અને તે અસંગભાવનો પ્રકર્ષ થાય તો તે મહાત્મા ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરે છે, તેમ જ ક્ષપકશ્રેણીના ફળરૂપે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે, જે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તે મહાત્માનું મૃત્યુ થાય તો તેઓ ફરી ક્યારેય પણ મૃત્યુ પામતા નથી. ll૧૬૧૭ll અવતરણિકા: હવે પૂર્વગાથામાં બતાવ્યો તે પ્રકારે અસંગભાવનો પ્રકર્ષ નહીં થવાને કારણે તે મહાત્મા ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરે, તો શું થાય? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : जइ वि न पावइ सेढिं तहा वि संवेगभावणाजुत्तो । णिअमेण सोगई लहइ तह य जिणधम्मबोहिं च ॥१६११॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy