SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસંલેખના / ગાથા ૧૬૦૮-૧૬૦૯ ૨૯૩ ટીકાઃ ___यत्पुनरपरिशुद्धं समयनीत्या, मृन्मयघटतुल्यमसारं हि तज्ज्ञेयं फलमात्रसाधकमेव यथाकथञ्चित्, न सानुबन्धं शुभफले तदितरवदिति गाथार्थः ॥१६०८॥ ટીકાર્ય : વળી જે સમયની નીતિથી=શાસ્ત્રોક્ત વિધિથી, અપરિશુદ્ધ છે, જે કોઈ રીતે ફળમાત્રનું સાધક જ તે માટીના ઘડાતુલ્ય અસાર જ જાણવું. તેનાથી ઇતરની જેમ=અપરિશુદ્ધ અનુષ્ઠાનથી અન્ય એવા પરિશુદ્ધ અનુષ્ઠાનની જેમ, અપરિશુદ્ધ અનુષ્ઠાન શુભ ફળમાં સાનુબંધ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જે અનુષ્ઠાન વીતરાગભાવને અનુકૂળ તત્ત્વજ્ઞાનના સંસ્કારોનું આધાર કરે તેવું નથી, તે અનુષ્ઠાન શાસ્ત્રોક્ત નીતિ અનુસાર અપરિશુદ્ધ છે, તેથી તેવા અનુષ્ઠાનકાળમાં પાલન કરાતા શુભ આચારોથી દેવગતિ આદિરૂપ ફળમાત્રની પ્રાપ્તિ થાય છે. તેથી અપરિશુદ્ધ અનુષ્ઠાન ફળમાત્રનું સાધક છે, છતાં માટીના ઘડાતુલ્ય અસાર છે. આશય એ છે કે જેમ માટીનો ઘડો જલધારણરૂપ ફળનો સાધક છે, તોપણ ફૂટ્યાં પછી કોઈ ફળને સાધનાર ન હોવાથી અસાર છે; તેમ અપરિશુદ્ધ અનુષ્ઠાન દેવગતિ આદિની પ્રાપ્તિરૂપ ફળનું સાધક છે, તોપણ તે અનુષ્ઠાનના પાલનકાળમાં વીતરાગતાને અનુકૂળ સમભાવના પરિણામના સંસ્કારો આત્મામાં આધાન નહીં થયેલા હોવાથી, આ ભવ સમાપ્ત થયા પછી તે સંયમની ક્રિયાઓ અન્ય ભવમાં ભોગાદિ ફળ આપીને નાશ પામે છે, તેથી તે સંયમની ક્રિયાઓ દેવભવમાં કોઈ ફળને સાધનાર ન હોવાથી અસાર છે. આથી પરિશુદ્ધ અનુષ્ઠાન ઉત્તરોત્તર ભવમાં અનુવૃત્તિ પામીને વીતરાગભાવ સુધી જે રીતે અનુબંધવાળું છે, તે રીતે અપરિશુદ્ધ અનુષ્ઠાન અનુબંધવાળું નથી. આ પ્રમાણે ભાવન કરીને સંલેખના કરનારા મહાત્મા પોતાનાં સંયમનાં અનુષ્ઠાન અત્યંત પરિશુદ્ધ જે પ્રકારે થાય તે પ્રકારે શક્તિનો સંચય કરે છે અને સંયમજીવનમાં લાગેલા અતિચારોનું સમ્યગુ આલોચન કરીને પોતાના સંયમને શુદ્ધ કરવા અર્થે દઢ વ્યાપારવાળા થાય છે. I/૧૬૦૮ અવતરણિકા : ગાથા ૧૬૦૦-૧૬૦૮માં પરિશુદ્ધ અને અપરિશુદ્ધ અનુષ્ઠાનનું ભાવન બતાવ્યું. હવે સંયમજીવનમાં ક્યારેક અનાભોગાદિથી પણ સંયમમાં મલિનતા થવાને કારણે પોતાનું અનુષ્ઠાન અપરિશુદ્ધ થયું હોય, તો તેની શુદ્ધિ કરવા અર્થે સંલેખના કરનાર મહાત્મા શેનું ભાવન કરે છે? તે બતાવે છે – ગાથા : धम्ममि अ अइआरे सुहमेऽणाभोगसंगए वि त्ति । ओहेण चयइ सव्वे गरहापडिवक्खभावेण ॥१६०९॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy