SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસંલેખના / ગાથા ૧૬૦૪ સવંત તુવવૃaનયંતિ રૂલ્ય વિ અત્યંત દુ:ખના ફલદ એવા અહીં પણ=અત્યંત દુઃખના ફળને દેનારા સંસારરૂપી સમુદ્રમાં પણ, દોડ઼ રતિ થાય છે, પત્તો એનાથી યર ફ્રિ =કષ્ટતર શું છે? ગાથાર્થ : જે કારણથી કોઈક રીતે મનુષ્યભવને પણ પામેલા જીવોને અત્યંત દુખના ફળને આપનારા, સંસારરૂપી સમુદ્રમાં પણ રતિ થાય છે, એનાથી કષ્ટતર શું? ટીકા : __ किमतः कष्टतः कष्टतरमन्यत् ? प्राप्तानां कथञ्चित्कृच्छ्रेण मनुजजन्मापि यदत्रापि भवति रतिः संसारसमुद्रेऽत्यन्तदुःखफलदे यथोक्तन्यायादिति गाथार्थः ॥१६०४॥ નોંધ: મૂળગાથામાં કામગM fપ છે, તેને સ્થાને ટીકા પ્રમાણે મજુમન fપ હોવું જોઈએ. ટીકાર્ય : જે કારણથી કોઈક રીતે કૃચ્છથી=મુશ્કેલીથી, મનુજજન્મને પણ પામેલા જીવોને યથોક્ત ન્યાયથી= પૂર્વગાથામાં કહેવાયેલ નિયમથી, અત્યંત દુઃખના ફળને દેનારા અહીં પણ=સંસારરૂપી સમુદ્રમાં પણ, રતિ થાય છે, એ કષ્ટથી અન્ય કષ્ટતર શું છે? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સભૂત અર્થનું ભાવન કરતા મહાત્મા વિચારે કે સંસારમાં સર્વ સ્થાનો અત્યંત અને સર્વથા અશોભન છે, આમ છતાં આવા અશોભન સંસારમાં પણ મનુષ્યજન્મને પામીને જીવો સંસારના ઉચ્છેદ માટે ઉદ્યમ કરતા નથી, તે અત્યંત અનુચિત છે. એ પ્રકારના ભાવનને સ્થિર કરવા માટે સંલેખના કરનારા મહાત્મા વિચારે છે કે આ ચાર ગતિમાં ભ્રમણ કરતા જીવો ઘણી મુશ્કેલીથી કોઈક રીતે ધર્મસામગ્રીથી યુક્ત મનુષ્યભવને પ્રાપ્ત કરે છે, અને મુશ્કેલીથી મનુષ્યજન્મને પણ પામ્યા પછી જીવોને સંસારની અનુકૂળ સામગ્રીમાં રતિ થાય છે, એ કષ્ટથી બીજું કષ્ટતર શું છે? અર્થાત તે જ મહાકષ્ટતર વસ્તુ છે; કેમ કે સંસારરૂપી સમુદ્ર અત્યંત દુઃખના ફળને દેનારો છે, આથી તેમાં કોઈ વિચારક પુરુષને રતિ થાય નહીં. આશય એ છે કે જેમ સુંદર પણ ભોજન વિષયુક્ત હોય, તો કોઈ વિચારકને તે ભોજનમાં રતિ તો થતી નથી, પરંતુ ઇચ્છા પણ થતી નથી; તેમ ચાર ગતિરૂપ સંસાર એ જીવની મહાવિડંબણામય અવસ્થા છે, તેથી અત્યંત દુઃખના ફળને દેનારા આ સંસારસમુદ્રમાં વિચારકને રતિ થાય નહીં; આમ છતાં સંસારી જીવોને સંસારના ઉચ્છેદમાં પ્રબળ કારણભૂત મનુષ્યજન્મ પ્રાપ્ત થયા પછી પણ સંસારમાં રતિ થાય છે, એ અત્યંત કષ્ટતર છે; કેમ કે સર્વ કષ્ટોની નિષ્પત્તિનું પરમ બીજ છે. આ પ્રકારે વિચારીને સંલેખના કરનારા મહાત્મા સંસારના ઉચ્છેદને અનુકૂળ એવી અસંગભાવની શક્તિનો પ્રકર્ષ કરે છે, જેથી સાંસારિક કોઈપણ ભાવોમાં રતિ ન થાય, પરંતુ અસંગભાવમાત્રમાં રતિ ઉલ્લસિત થાય; કેમ કે અસંગભાવની રતિ જ સંસારના ઉચ્છેદનું પરમ બીજ છે અને સંગભાવની રતિ જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy