SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભાવસંલેખના / ગાથા ૧૬૦૩-૧૬૦૪ નરકાદિ સ્થાનો તો સેંકડો દુઃખોથી યુક્ત છે જ, પરંતુ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલા દેવલોક, ઉત્તમ મનુષ્યભવાદિ સ્થાનો પણ સેંકડો દુઃખોથી યુક્ત છે; કેમ કે તેઓ આત્માની સ્વતંત્ર અવસ્થાનો નાશ કરીને અન્ય પદાર્થોના સંયોગરૂપ પરતંત્ર અવસ્થાવાળા છે, તેથી ચારેય ગતિમાં જીવોને કર્મોને પરતંત્ર થઈને જીવવું પડે છે, માટે સંસારસમુદ્રમાં સર્વ સ્થાનો સેંકડો દુઃખોથી યુક્ત છે. અહીં પ્રશ્ન થાય કે દેવલોકાદિ સ્થાનો તો જીવોને અનુકૂળ સામગ્રીવાળાં છે, છતાં તેઓને સેંકડો દુઃખોથી યુક્ત કેમ કહ્યાં ? તેથી કહે છે – વિમાનાદિના સંયોગોનાં દુઃખો વિયોગના અવસાનવાળાં છે, એ પ્રકારે વિચારકને પ્રતીત છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનુકૂળ પણ સંયોગ જ્યારે વિયોગમાં પર્યવસાન પામે છે ત્યારે તે જીવને દુઃખ આપે છે, અને સંસારમાં દેવલોકાદિ સ્થાનો આત્માથી અન્ય પદાર્થોના સંયોગરૂપ હોવાથી અનેક દુઃખોથી યુક્ત છે. આથી જ રૌદ્ર અનુબંધવાળા છે; કેમ કે દેવલોકાદિના સુખોના ભોગકાળમાં જીવને જે રાગાદિ ભાવો થાય છે, ઇર્ષ્યાદિ ભાવો થાય છે અને તેના કારણે જીવને જે કર્મો બંધાય છે, તે કર્મોના વિપાકો દારુણ છે. તેથી દેવલોકાદિભવ સમાપ્ત થયા પછી ભોગસુખોના ફળરૂપે જીવને કર્મોનો દારુણ વિપાક પ્રાપ્ત થાય છે, માટે દેવલોકાદિ સર્વસ્થાનો રૌદ્ર અનુબંધવાળા છે. વળી સંસારસમુદ્રમાં દેવલોકાદિ ચારેય ગતિરૂપ સર્વ સ્થાનો અત્યંત સર્વથા પાપરૂપ છે. આશય એ છે કે સર્વ કર્મોથી રહિત અવસ્થા આત્માની શોભન અવસ્થા છે અને ચાર ગતિની અવસ્થા આત્માની અશોભન અવસ્થા છે. આથી સંસારમાં ચાર ગતિની અવસ્થાવાળાં સર્વ સ્થાનો જીવ માટે અત્યંત અશોભન છે અને સર્વથા અશોભન છે. વળી “અત્યંત અને “સર્વથા” શબ્દથી એ પ્રાપ્ત થાય કે આત્માની ચાર ગતિની અવસ્થા અત્યંત અશોભન અવસ્થા છે, તેમ જ કોઈક અંશથી અશોભન અવસ્થા છે એમ નહીં, પરંતુ સર્વ પ્રકારે અશોભન અવસ્થા છે; કેમ કે જીવની કર્મકૃત વિડંબણાવાળી અવસ્થા છે, અને વિડંબણાવાળી અવસ્થાને કોઈક અંશથી અશોભન કહી શકાય નહીં, પરંતુ સર્વ અંશથી અત્યંત અશોભન અવસ્થા કહેવી પડે. આ પ્રકારે વિચારવાથી સંલેખના કરનાર મહાત્માનું ચિત્ત સંસારના ભાવોથી અત્યંત વિમુખ થાય છે અને ભૂતાર્થભાવનાથી વાસિત થયેલું ચિત્ત સમ્યક્તની દઢતાનું કારણ બને છે. ૧૬૦૩ll અવતરણિકા : વળી તે સંલેખના કરનારા મહાત્મા અન્ય શું ભાવન કરે છે? તે બતાવે છે – ગાથા : किं एत्तो कट्ठयरं? पत्ताण कहिचि मणुअजम्मं मि(?पि)। जं इत्थ वि होइ रई अच्चंतं दुक्खफलयंमि ॥१६०४॥ અન્વયાર્થ : નં=જે કારણથી િિવ કોઈક રીતે મજુમનH પિકમનુજજન્મને પણ પત્તા[=પ્રાપ્ત એવા જીવોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy