SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસલેખના / ગાથા ૧૬૦૦-૧૬૦૧ ૨૮૧ ટીકા : इच्छामि वैयावृत्त्यं सम्यग्गुर्वादीनां महानुभावानाम्, आदिशब्दात् सहायसाधुग्रहः, येषां प्रभावेनेदं= धर्मयानं प्राप्तं मया, तथा पालितं चैवाविघ्नेनेति गाथार्थः ॥१६००॥ ટીકાર્ય : ગુરુ આદિ મહાનુભાવોના સમ્યગુ વૈયાવૃજ્યને હું ઇચ્છું છું; જેઓના=જે ગુરુ આદિ મહાનુભાવોના, પ્રભાવથી મારા વડે આ=ધર્મયાન=ચારિત્રધર્મરૂપી વહાણ, પ્રાપ્ત કરાયું અને તે રીતે અવિનથી પાલન કરાયું. મર' શબ્દથી “ગુર્વાલીના''માં ‘ગારિ' શબ્દથી, સહાયક સાધુઓનો ગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંલેખના કરનારા મહાત્મા વિચારે છે કે જે ગુરુ આદિ મહાનુભાવોએ મને આ યોગમાર્ગ બતાવ્યો, ચારિત્રધર્મનું પ્રદાન કર્યું, ચારિત્રના મર્મનો યથાર્થ બોધ કરાવ્યો, તે મહાનુભાવોની હું વૈયાવચ્ચ કરવા ઇચ્છું છું. વળી મારા ચારિત્રધર્મના સેવનકાળ દરમિયાન જે સાધુઓએ મને સારણા આદિ કરવા દ્વારા સંયમમાં સહાયતા કરી, ગ્લાનાદિ અવસ્થામાં મને સહાયક બનીને સંયમના પાલન માટે સમર્થ બનાવ્યો, સ્વાધ્યાયાદિ ઉચિત પ્રવૃત્તિઓમાં સહાય કરીને મને સમ્યગ્બોધથી અને ચારિત્રના પરિણામથી સમૃદ્ધ કર્યો, તેવા સહાય કરનારા સાધુઓની પણ હું વૈયાવચ્ચ કરવા ઇચ્છું છું. આ રીતે તે સંલેખના કરનારા મહાત્મા જેઓના પ્રભાવથી પોતાને ચારિત્ર પ્રાપ્ત થયું હોય અને પોતે ચારિત્રનું પાલન કર્યું હોય, તે સર્વના ઉપકારોનું સ્મરણ કરીને તેમના પ્રત્યેના પૂજયભાવની વૃદ્ધિ માટે તેઓની વૈયાવચ્ચ કરવાને અનુકૂળ ભાવના કરે છે, જેથી તેઓનો ઉચિત કૃત્યો કરવાનો પરિણામ અતિશયવાળો થાય. ll૧૬૦All અવતરણિકા : ગુરુ આદિના ઉપકારનું સ્મરણ કરીને તેઓ પ્રત્યેના કૃતજ્ઞતાભાવની વૃદ્ધિ કરવા અર્થે સંલેખના કરનારા મહાત્મા અન્ય શું ભાવન કરે છે? તે બતાવે છે – ગાથા : तेसि णमो तेसि णमो भावेण पुणो पुणो वि तेसि णमो । अणुवकयपरहिअरया जे एयं दिति जीवाणं ॥१६०१॥ અન્વયા : માવેT=ભાવથી તે નમો સેસિ પામો=તેઓને નમસ્કાર કરું છું, તેઓને નમસ્કાર કરું છું, પુખ પુણે વિ તેરિ નમો-ફરી ફરી પણ તેઓને નમસ્કાર કરું છું; અનુવાદિકરા ને અનુપકૃત પરના હિતમાં રત એવા જેઓ નવા જીવોને જીવં–આ–ચારિત્રધર્મરૂપી વહાણ, હિતિ આપે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy