SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના/ ગાથા ૧૫૯૮ ગાથા : एअस्स पहावेणं पालिज्जंतस्स सइ पयंत्तेणं । जम्मंतरे वि जीवा पावंति ण दुक्खदोगच्चं ॥१५९८॥ અન્વયથાર્થ : ચિત્તે સરૂ પાત્રિનંત–પ્રયત્નથી સદા પાલન કરાતા એવા મસ પહાવે=આના=ધર્મરૂપી યાનના, પ્રભાવથી નવા-જીવો નમંતરે વિકજન્માંતરમાં પણ ફુલોન્ચ - પાવંતિ–દુઃખદીર્ગત્યને પામતા નથી. ગાથાર્થ : પ્રયત્નોથી સદા પાલન કરાતા એવા ધર્મરૂપી ચાનના પ્રભાવથી જીવો જન્માંતરમાં પણ દુઃખદગત્યને પામતા નથી. ટીકા; ___एतस्य प्रभावेन धर्मयानस्य पाल्यमानस्य सदा-सर्वकालं प्रयत्नेन-विधिना जन्मान्तरेऽपि जीवा:प्राणिनः प्राप्नुवन्ति न, किमित्याह-दुःखप्रधानं दौर्गत्यं-दुर्गतिभावमिति गाथार्थः ॥१५९८॥ ટીકાર્ય : * પ્રયત્નથી વિધિથી, સદા=સર્વકાળ, પળાતા એવા આના=ધર્મયાનના, પ્રભાવથી જીવો=પ્રાણીઓ, જન્માંતરમાં પણ=અન્ય ભવમાં પણ, પ્રાપ્ત કરતા નથી. શેને પ્રાપ્ત કરતા નથી? એથી કહે છે – દુઃખ છે પ્રધાન જેમાં એવા દૌર્ગત્યને દુર્ગતિના ભાવને, પ્રાપ્ત કરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વળી મહાત્મા વિચારે છે કે જેઓ ચારિત્રધર્મરૂપી યાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સમ્યગુ પાલન કરે છે, તેઓ તે ધર્મયાનના પ્રભાવથી દુઃખ છે પ્રધાન જેમાં એવા દૌર્ગત્યને પામતા નથી. આશય એ છે કે સંયમ ગ્રહણ કરવા માત્રથી કે સંયમની ક્રિયાઓ કરવામાત્રથી ચારિત્રધર્મરૂપી યાન સંસારરૂપી સમુદ્રના અંતનું કારણ બનતું નથી, પરંતુ જિનવચનનું અવલંબન લઈને દઢ ઉદ્યમથી ચારિત્રનું પાલન કરવામાં આવે, તો આ ચારિત્રધર્મરૂપી યાન સંસારરૂપી સમુદ્રના અંતનું કારણ બને છે. આથી જિનવચનાનુસાર ચારિત્રનું પાલન કરનારા જીવો જ્યાં સુધી સંસારનો અંત ન થાય ત્યાં સુધી જન્માંતરમાં પણ જ્યાં ઘણું દુઃખ છે તેવા ભવો પ્રાપ્ત કરતા નથી, પરંતુ ઉત્તમ દેવભવ કે ઉત્તમ મનુષ્યભવ પ્રાપ્ત કરે છે અને અંતે સર્વથા સંસારના પારને પામે છે. આવો ચારિત્રધર્મ મને પ્રાપ્ત થયો છે, માટે હું સર્વથા ધન્ય છું. એ પ્રકારે તે સંલેખના કરનારા મહાત્મા સભૂત એવા અર્થનું ભાવન કરે છે. ૧૫૯૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy